Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

અયોધ્‍યાથી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના સામુહિક રીતે જીવંત પ્રસારણ નિહાળવાની સાથે રામધૂનથી ગાજી ઉઠેલો સમગ્ર વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ 200 વર્ષ કરતા વધુના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતાના મંદિરના પટાંગણમાં શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અયોધ્‍યાથી શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સામુહિક રીતે નિહાળવામાં આવ્‍યું હતું.
સોપાની માતા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. પ્રારંભમાં કળશયાત્રા પણ કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ ગ્રામવાસીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યને પણ સાંભળ્‍યું હતું. આ કાર્યક્રમમાં અબાલ-વૃદ્ધ, યુવાન, મહિલા સહિત ઘર પરિવારના લગભગ તમામ સભ્‍યોએ હાજરી આપી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાના સાક્ષી બન્‍યા હતા.

Related posts

પારડી તાલુકાની કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલનું જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. ગગન ચનાનાજીએ કરેલું લોકાર્પણ

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

Leave a Comment