April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

અયોધ્‍યાથી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના સામુહિક રીતે જીવંત પ્રસારણ નિહાળવાની સાથે રામધૂનથી ગાજી ઉઠેલો સમગ્ર વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ 200 વર્ષ કરતા વધુના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતાના મંદિરના પટાંગણમાં શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અયોધ્‍યાથી શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સામુહિક રીતે નિહાળવામાં આવ્‍યું હતું.
સોપાની માતા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. પ્રારંભમાં કળશયાત્રા પણ કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ ગ્રામવાસીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યને પણ સાંભળ્‍યું હતું. આ કાર્યક્રમમાં અબાલ-વૃદ્ધ, યુવાન, મહિલા સહિત ઘર પરિવારના લગભગ તમામ સભ્‍યોએ હાજરી આપી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાના સાક્ષી બન્‍યા હતા.

Related posts

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સહ-સદસ્‍ય સચિવ અમિત પી.કોકાટેના માર્ગદર્શન હેઠળ કચીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાનૂની શિબિરમાં એસસી/એસટી એટ્રોસીટી એક્‍ટ અને શિક્ષણના અધિકાર વિશે આપવામાં આવેલી માહિતી

vartmanpravah

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

Leave a Comment