(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કંઠેશ્વર મહાદેવના મંદિરમાં અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે પૂજા-અર્ચના સાથે આરતીનો લાભ પણ લીધો હતો. સમગ્ર પ્રદેશ સહિત દેશના સર્વાંગી વિકાસ અને સુખાકારીની કામના કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું કચીગામના કંઠેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આગમન સાથે જ જયશ્રી રામના જયઘોષથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રશાસકશ્રીનું અભિવાદન પણ કર્યું હતું.