March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્‍યની ટીમ દ્વા૨ા મમતા દિવસ અંતર્ગત શહેરી વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્ર અબ્રામાના વાલીયા ફળીયા આંગણવાડી ખાતે તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોરગામ હસ્‍તકનાં પેટા આરોગ્‍ય કેન્‍દ્ર વાઘલધરાનાં જેશિયા ફળિયા ખાતે મમતા દિવસની મુલાકાત લઈ મમતા દિવસનાં લાભાર્થીઓ જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોને સંલગ્ન મમતા દિવસની વિવિધ કામગીરી જેવીકે આરોગ્‍ય તપાસ અને અન્‍ય આરોગ્‍યને લગતી સેવાઓની માહિતી લઇ જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત વલસાડના મોગરાવાડી વિસ્‍તારમાં જોખમી સગર્ભા બહેનની ગળહ મુલાકાત લઈ તપાસ, ગળહ મુલાકાત અને આરોગ્‍ય કેન્‍દ્ર દ્વા૨ા મળતી આરોગ્‍ય સેવાઓ અંગે માહિતી મેળવી અને સ૨કારી સંસ્‍થા ખાતે પ્રસૂતિ કરાવવા તથા વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓ, જિલ્લા આર.સી.એચ.ઓ., તાલુકા હેલ્‍થ ઓફિસર, મેડિકલ ઓફિસરો તથા અન્‍ય આરોગ્‍ય કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

Related posts

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવીને મળ્‍યો મંદિરમાં મોક્ષ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment