April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્‍યની ટીમ દ્વા૨ા મમતા દિવસ અંતર્ગત શહેરી વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્ર અબ્રામાના વાલીયા ફળીયા આંગણવાડી ખાતે તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોરગામ હસ્‍તકનાં પેટા આરોગ્‍ય કેન્‍દ્ર વાઘલધરાનાં જેશિયા ફળિયા ખાતે મમતા દિવસની મુલાકાત લઈ મમતા દિવસનાં લાભાર્થીઓ જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોને સંલગ્ન મમતા દિવસની વિવિધ કામગીરી જેવીકે આરોગ્‍ય તપાસ અને અન્‍ય આરોગ્‍યને લગતી સેવાઓની માહિતી લઇ જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત વલસાડના મોગરાવાડી વિસ્‍તારમાં જોખમી સગર્ભા બહેનની ગળહ મુલાકાત લઈ તપાસ, ગળહ મુલાકાત અને આરોગ્‍ય કેન્‍દ્ર દ્વા૨ા મળતી આરોગ્‍ય સેવાઓ અંગે માહિતી મેળવી અને સ૨કારી સંસ્‍થા ખાતે પ્રસૂતિ કરાવવા તથા વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓ, જિલ્લા આર.સી.એચ.ઓ., તાલુકા હેલ્‍થ ઓફિસર, મેડિકલ ઓફિસરો તથા અન્‍ય આરોગ્‍ય કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment