Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્‍જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના અરસામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. થર્મોકોલમાંથી પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીના પ્રથમ માળે રાખેલ રો મટિરિયલમાં આગ લાગતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ રોમટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને નુકસાન થવા પામ્‍યું હતું. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા સરીગામ ફાયર સ્‍ટેશન, સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીની ફાયર ટીમ તેમજ ઉમરગામની ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે ધસી આવી આગ પર કાબુ મેળવવામાં સફળ થઈહતી. આ સમય દરમિયાન આગના ઘટનાની જાણ પોલીસતંત્રને થતાં ઘટના સ્‍થળ પર પોલીસની ટીમ ધસી આવી આગના કારણે ફેલાયેલા અરાજકતાકના માહોલ ઉપર કાબુ મેળવી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ લેવા માટે વ્‍યવસ્‍થા કરવામાં મદદરૂપ થઈ હતી. વહેલા મોડા જીપીસીબીના અધિકારી ઘટના સ્‍થળ ઉપર પહોંચી આગ લાગવાનું મુખ્‍ય કારણ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ આગમાં કોઈ જાનહાની કે ઘાયલની ઘટના સામે આવવા પામી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

Leave a Comment