Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્‍જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના અરસામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. થર્મોકોલમાંથી પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીના પ્રથમ માળે રાખેલ રો મટિરિયલમાં આગ લાગતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ રોમટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને નુકસાન થવા પામ્‍યું હતું. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા સરીગામ ફાયર સ્‍ટેશન, સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીની ફાયર ટીમ તેમજ ઉમરગામની ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે ધસી આવી આગ પર કાબુ મેળવવામાં સફળ થઈહતી. આ સમય દરમિયાન આગના ઘટનાની જાણ પોલીસતંત્રને થતાં ઘટના સ્‍થળ પર પોલીસની ટીમ ધસી આવી આગના કારણે ફેલાયેલા અરાજકતાકના માહોલ ઉપર કાબુ મેળવી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ લેવા માટે વ્‍યવસ્‍થા કરવામાં મદદરૂપ થઈ હતી. વહેલા મોડા જીપીસીબીના અધિકારી ઘટના સ્‍થળ ઉપર પહોંચી આગ લાગવાનું મુખ્‍ય કારણ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ આગમાં કોઈ જાનહાની કે ઘાયલની ઘટના સામે આવવા પામી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

Leave a Comment