March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે મસાટના ટેમ્‍પો માલિકના એસોસિએશન સાથે યોગ્‍ય ભાડું મળે એ માટે નિヘતિ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કેટલાક નીતિ-નિયમોની અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી તંત્રએ ટેમ્‍પો ચાલકોને નક્કી કરાયેલ કરાર મુજબ વ્‍યવસ્‍થા બંધ કરી દીધી. તેથી બંધ કરાયેલા ભાડા કરારને ફરી ચાલુ કરવા આજે મસાટ ટેમ્‍પો એસોસિએશન દ્વારા સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામના 60થી વધુ ટેમ્‍પો માલિકના એસોસિએશન દ્વારા ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે યોગ્‍ય ભાડું નક્કી કરવામાં આવ્‍યું હતું. જો થોડાક દિવસો સુધી બરાબર મળતું હતું. પરંતુ કેટલાક સમય પછી એ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું. આ બાબતે મસાટના ટેમ્‍પોએસોસિએશન દ્વારા આજે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ ટેમ્‍પો એસોસિએશનના આગેવાનોને જણાવ્‍યું હતું કે તમારે સૌથી પહેલાં તમામ સરકારી નીતિ-નિયમો તથા વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જેમ કે, તમારા વાહનોમાં જી.પી.એસ. લગાવવું, કામના બાબતે જે ટેન્‍ડર બહાર પડે છે ભરવું જરૂરી છે. તેથી આ તમામ નિયમો અનુસર્યા બાદ જ તમોને કરાર મુજબ કામ અને ભાડું મળશે.

Related posts

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment