October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે મસાટના ટેમ્‍પો માલિકના એસોસિએશન સાથે યોગ્‍ય ભાડું મળે એ માટે નિヘતિ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કેટલાક નીતિ-નિયમોની અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી તંત્રએ ટેમ્‍પો ચાલકોને નક્કી કરાયેલ કરાર મુજબ વ્‍યવસ્‍થા બંધ કરી દીધી. તેથી બંધ કરાયેલા ભાડા કરારને ફરી ચાલુ કરવા આજે મસાટ ટેમ્‍પો એસોસિએશન દ્વારા સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામના 60થી વધુ ટેમ્‍પો માલિકના એસોસિએશન દ્વારા ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે યોગ્‍ય ભાડું નક્કી કરવામાં આવ્‍યું હતું. જો થોડાક દિવસો સુધી બરાબર મળતું હતું. પરંતુ કેટલાક સમય પછી એ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું. આ બાબતે મસાટના ટેમ્‍પોએસોસિએશન દ્વારા આજે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ ટેમ્‍પો એસોસિએશનના આગેવાનોને જણાવ્‍યું હતું કે તમારે સૌથી પહેલાં તમામ સરકારી નીતિ-નિયમો તથા વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જેમ કે, તમારા વાહનોમાં જી.પી.એસ. લગાવવું, કામના બાબતે જે ટેન્‍ડર બહાર પડે છે ભરવું જરૂરી છે. તેથી આ તમામ નિયમો અનુસર્યા બાદ જ તમોને કરાર મુજબ કામ અને ભાડું મળશે.

Related posts

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment