Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

હવે પશુ પાલકોને દૂધ સાથે મધના ઉત્‍પાદન દ્વારા ઘર આંગણે આવકમાં વૃધ્‍ધિ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં દૂધ ઉત્‍પાદકો દ્વારાસ્‍થાપિત વસુધારા ડેરી દ્વારા સ્‍થાનિક બજારમાં વર્ષોથી ઉચ્‍ચ ગુણવતા યુક્‍ત દૂધ અને દહીં, છાશ, ઘી સહિતની દૂધ પેદાશો ગ્રાહકોને ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહ્યું છે. હાલે વસુધારા ડેરી દ્વારા દૂધ ઉત્‍પાદકોને ઘર આંગણે તેમની આવકમાં વધારો થાય તે માટે મધમાખી ઉછેર પ્રોત્‍સાહિત કરી નવસારી-વલસાડ-ડાંગ જિલ્લાના સ્‍થાનિક દૂધ ઉત્‍પાદકો દ્વારા ઉત્‍પાદિત મધને વિધિવત બજારમાં વેચાણની શરૂઆત કરવામાં આવી છે. વસુધારા ડેરી દ્વારા હાલમાં અલગ અલગ પ્રકારના અજમાના ફૂલ અને મિક્ષ ફુલના ફલેવર વાળું મધ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યું છે.
વસુધારા ડેરી દ્વારા મધના વિધિવત વેચાણની શરૂઆત માટે ધરમપુરમાં વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ વાઇસ ચેરમેન સુધાબેન મેનેજીંગ ડિરેકટર નરેન્‍દ્રભાઈ વશી નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી ઉત્‍પાદક અને વેચાણ કરનાર સહકારી મંડળી (અમીધરા) ગણદેવીના ચેરમેન રાજેશભાઈ પટેલ સીઇઓ મદનભાઈ સદાવતી ઉપરાંત પશુપાલકો, દૂધ વિતરકોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. બજારમાં મુકવામાં આવેલ વસુધારા મધ નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડની અધ્‍યાધુનિક સરકાર માન્‍ય સીએએલએફ લેબોરેટરીમાં ખાદ્ય સુરક્ષાના તમામ ધારા ધોરણે માટે ટેસ્‍ટ કરાવ્‍યા બાદ મુકવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મહાનુભવો દ્વારા ગ્રાહકોમાટે ગુણવતા સુનિヘતિ કરીને ગુણવત્તાના ઉચ્‍ચતમ ધોરણો જાળવવા માટે તેમજ વ્‍યાજબી ભાવે મધ ઉપલબ્‍ધ કરાવવા માટે વસુધારા ડેરીની કટિબધ્‍ધતા પર પ્રકાશ પાડ્‍યો હતો.
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં લોકોને ઘર આંગણે રોજગારી માટે પર્યાય બનેલ વસુધારા ડેરી દ્વારા વસુધારા મધ ના ઉત્‍પાદન અને વેચાણ સાથે વધુ એક મોર પિચ્‍છ ઉમેરવામાં આવ્‍યું છે.

Related posts

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment