February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર થઈ રહી છે જે ચિંતાનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાને મોટો દરિયા કિનારો મળેલો છે. આ દરિયામાંથી ક્‍યારે વ્‍હેલ કે શાર્ક કે અન્‍ય મૃત માછલીઓ અવાર નવાર તણાઈ આવતી હોવાના અનેકવાર બનાવ બનતા રહ્યા છે. આજે મંગળવારે વલસાડ તિથલ દરિયા કિનારે સવારે સવારે જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી.
પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર પડે છે. મોટા મોટા ઉદ્યોગો પ્રદૂષિત પાણી દરિયામાં ખાનગી રાહે પધરાવતા હોવાની રાવ ફરિયાદ ઉઠતી આવી છે તેથી દરિયાનું પાણી પ્રદૂષિત થતું હોય છે. જેને લઈને દરિયાઈ જીવો ઉપર જોખમનું પરિબળ ઉભું થતું રહ્યું છે. તેનો વધુએક પુરાવો આજે તિથલ દરિયા કિનારે જોવા મળ્‍યો. જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી. જે પર્યાવરણ માટે અને દરિયાઈ જીવો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related posts

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા – 2024, સેવા સેતુ અને એક પેડ મા કે નામ – ત્રિવેણી કાર્યક્રમને વલસાડ જિલ્લામાં લોન્‍ચીંગ કરતા જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈન્‍ટર કોલેજ ખોખો સ્‍પર્ધાનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment