July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર થઈ રહી છે જે ચિંતાનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાને મોટો દરિયા કિનારો મળેલો છે. આ દરિયામાંથી ક્‍યારે વ્‍હેલ કે શાર્ક કે અન્‍ય મૃત માછલીઓ અવાર નવાર તણાઈ આવતી હોવાના અનેકવાર બનાવ બનતા રહ્યા છે. આજે મંગળવારે વલસાડ તિથલ દરિયા કિનારે સવારે સવારે જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી.
પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર પડે છે. મોટા મોટા ઉદ્યોગો પ્રદૂષિત પાણી દરિયામાં ખાનગી રાહે પધરાવતા હોવાની રાવ ફરિયાદ ઉઠતી આવી છે તેથી દરિયાનું પાણી પ્રદૂષિત થતું હોય છે. જેને લઈને દરિયાઈ જીવો ઉપર જોખમનું પરિબળ ઉભું થતું રહ્યું છે. તેનો વધુએક પુરાવો આજે તિથલ દરિયા કિનારે જોવા મળ્‍યો. જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી. જે પર્યાવરણ માટે અને દરિયાઈ જીવો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related posts

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

ધરમપુર કપરાડા વિસ્‍તારની સરકારી સ્‍કૂલના 79 પટાવાળા 4 મહિનાથી પગારથી વંચિત રહેતા કલેકટરમાં ફરિયાદ કરાઈ

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

Leave a Comment