Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દાદરા નગર હવેલીના ત્રણ ઔદ્યોગિક સંગઠનોનુ એક સંઘ છે. જેની અધ્‍યક્ષતા દર વર્ષે એક એક સંગઠનને આપવામાં આવે છે. વર્ષ 2022-23 માટે અધ્‍યક્ષ તરીકે શ્રી સંજીવ કપુરની નિયુક્‍તિ કરવામાં આવી છે, જેઓ સિલવાસા ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ છે. તેઓની ટીમમાં શ્રી રવિ પાંડે જેઓ સિલવાસા ઇન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ડ મેન્‍યુફેક્‍ચર એસોસિયેશનના ઉપ પ્રમુખ છે અને ડો. આર. શેલકે જેઓ દાનહ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના માનદ સચિવ છે તેઓને મહાસંઘમાં ઉપાધ્‍યક્ષ અને મહાસચિવ તરીકે નિયુક્‍ત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેયપદાધિકારીઓ પાસે વિસ્‍તૃત ઔદ્યોગિક અનુભવ છે. શ્રી સંજીવ કપૂર દિપક પોલીસ્‍ટરના ચેરમેન છે. શ્રી રવિ પાંડે એ.વાય.એમ. સિન્‍ટેક્‍સ લિમિટેડના ઉપાધ્‍યક્ષ અને ફયુઝન કોર્પોરેટ સોલ્‍યુશનના પ્રમુખ છે. ડો. શેલકે જયકોર્પ સમૂહના અધિકારી છે.
આ અવસરે ભૂતપૂર્વ ટીમના અધ્‍યક્ષ શ્રી અજીત યાદવે નવી ટીમને શુભકામના આપી હતી અને પૂર્ણ સહયોગનું આશ્વાસન પણ આપ્‍યુ હતું. શ્રી સંજીવ કપુરે પણ શ્રી અજીત યાદવ અને એમની ટીમને પાછલા એક વર્ષના કાર્યકાળમાં ઉદ્યોગોની સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે મહત્‍વપૂર્ણ કાર્ય કરવા માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment