March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પગપાળા યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્‍યું હતું. ડુમલાવના જલારામ મંદિરથી 10 માર્ચ 2023 ના રોજ 11 જેટલા યુવાન જલારામ બાપાના ભક્‍તો વીરપુર જલારામ બાપાના દર્શને પગપાળા નીકળ્‍યા હતા.
ખૂબ જ ટૂંકા ગાળામાં અને નાના પાયે તૈયાર થયેલા આ પગપાળા વીરપુર સુધીની પદયાત્રા પ્રથમ વખત યોજી હોવા છતાં જલારામ ભક્‍ત યુવાનોને રસ્‍તામાં અનેક લોકોએ સ્‍વયંભૂ ખૂબ મદદ કરી હતી જેને લઈ તેઓ 12 દિવસ બાદ વીરપુર પહોંચી 13 માં દિવસે તમામ યુવાનોએ સહી સલામત રીતે જલારામ બાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ખૂબ ટૂંકા સમયમાં અને અચાનક નક્કી કરવામાં આવેલ આ વીરપુર સુધીની પદયાત્રામાં યુવાનોને મદદ કરવા આમળીના ધર્મેશભાઈ વિડીયો શુટીંગવાળા પોતાની ટીમ સાથે પહોંચી સતત બે દિવસ સંપૂર્ણ રીતે આ પદયાત્રીઓની તમામ સેવાઓ પૂરી પાડી પોતે પણ પદયાત્રી હોય એ રીતે જલારામ બાપાનાદર્શન કરી તેઓ પણ ખૂબ ધન્‍યતા અનુભવી હતી.

Related posts

કપરાડાના હુડા પાસે હાઈવે વળાંકમાં ટ્રક પલટી જતા બે ટુકડા થયા : ડ્રાઈવર-ક્‍લિનરનું મોત

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

દાનહમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો : પોક્‍સો એક્‍ટ, ર01ર અને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ, 2015 હેઠળના કાયદાઓ પર તાલીમનું આયોજન કરાયું

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment