July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પગપાળા યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્‍યું હતું. ડુમલાવના જલારામ મંદિરથી 10 માર્ચ 2023 ના રોજ 11 જેટલા યુવાન જલારામ બાપાના ભક્‍તો વીરપુર જલારામ બાપાના દર્શને પગપાળા નીકળ્‍યા હતા.
ખૂબ જ ટૂંકા ગાળામાં અને નાના પાયે તૈયાર થયેલા આ પગપાળા વીરપુર સુધીની પદયાત્રા પ્રથમ વખત યોજી હોવા છતાં જલારામ ભક્‍ત યુવાનોને રસ્‍તામાં અનેક લોકોએ સ્‍વયંભૂ ખૂબ મદદ કરી હતી જેને લઈ તેઓ 12 દિવસ બાદ વીરપુર પહોંચી 13 માં દિવસે તમામ યુવાનોએ સહી સલામત રીતે જલારામ બાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ખૂબ ટૂંકા સમયમાં અને અચાનક નક્કી કરવામાં આવેલ આ વીરપુર સુધીની પદયાત્રામાં યુવાનોને મદદ કરવા આમળીના ધર્મેશભાઈ વિડીયો શુટીંગવાળા પોતાની ટીમ સાથે પહોંચી સતત બે દિવસ સંપૂર્ણ રીતે આ પદયાત્રીઓની તમામ સેવાઓ પૂરી પાડી પોતે પણ પદયાત્રી હોય એ રીતે જલારામ બાપાનાદર્શન કરી તેઓ પણ ખૂબ ધન્‍યતા અનુભવી હતી.

Related posts

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્‍ઝરી બસને કન્‍ટેનરે ટક્કર મારી : અકસ્‍માતમાં 12 ઉપરાંત ઘાયલ

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર સિદ્ધાર્થભાઈ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની ઉપયોગિતાની આપેલી સમજ

vartmanpravah

Leave a Comment