April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

  • વર્ષો પહેલાં નરોલી ગામના તબીબ અને સાહિત્‍યરસિક ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે જમીન દાનમાં આપી પોતાના ખર્ચે લાઈબ્રેરીનું કરેલું નિર્માણઃ નરોલી ગ્રામ પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી હસ્‍તગત કરાયેલો લાઈબ્રેરીનો વહીવટ

  • લાઈબ્રેરીને તાળા લાગતાં ગામના વાંચકરસિયા વડિલો મહિલા અને યુવાનોને પડી રહેલી તકલીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક સાર્વજનિક વાંચનાલય અને પુસ્‍તકાલય છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્‍ટાફના અભાવે બંધ હોવાથી ગામની વાંચનપ્રેમી જનતાને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. આ વાંચનાલય વહેલામાં વહેલી તકે પહેલાની માફક શરૂ થાય તેવી માંગણી ગામના નાગરિકો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ગામના તબીબ અને સાહિત્‍યપ્રેમી ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે વર્ષો પહેલાં જમીન દાનમાં આપી પોતાના ખર્ચે એક લાઈબ્રેરી બનાવી હતી. જેનો નિભાવ પણ શરૂઆતમાં તેમના દ્વારા કરવામાં આવતો હતો. ત્‍યારબાદ આલાઈબ્રેરી અને વાંચનાલયનો વહીવટ નરોલી ગ્રામ પંચાયતને સુપ્રત કર્યા બાદ પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા એક લાઈબ્રેરિયન અને પટાવાળા મારફત આ પુસ્‍તકાલયનું સંચાલન કરાતું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલીની શાન ગણાતા ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય અને પુસ્‍તકાલયમાં વિવિધ શ્રેણીના લગભગ 4 હજાર કરતા વધુ પુસ્‍તકો છે અને દરરોજ વિવિધ અખબારો અને સામાયિકો વાંચવા માટે ગામના વડિલો તથા યુવાનો અને મહિલાઓ નિયમિત મુલાકાત લેતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી લાઈબ્રેરિયન અને પટાવાળો સેવાનિવૃત્ત થતાં આ પુસ્‍તકાલયને તાળા લાગી ગયા છે. જેને ફરીથી શરૂ કરાવી ગામલોકોની વાંચનભૂખ સંતોષવા પ્રયાસ કરવા લાગણી પ્રગટ થઈ રહી છે.

Related posts

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

Leave a Comment