Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૪
સાંસદ મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્યુ બાદ ખાલી પડેલ લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના હવે ધૂંધળી બની રહી છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે તમામ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લીધેલો છે. જેના કારણે ઉત્તરાખંડમાં પણ પેટા ચૂંટણી યોજવાની સંભાવના નહીં હોવાના કારણે સર્જાયેલી બંધારણીય કટોકટીના કારણે મુખ્યમંત્રી શ્રી તિરથસિંહ રાવતને રાજીનામું આપવાની ફરજ પડી હતી. કારણ કે, શ્રી તિરથસિંહ રાવત વિધાનસભાના સભ્ય નહીં હતા.
અત્રે યાદ રહે કે, ઉત્તરાખંડના શ્રી તિરથસિંહ બાદ હવે બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી માટે પણ બંધારણીય સંકટ ઉભું થવાની શક્યતા છે. કારણ કે તેઅો પણ વિધાનસભાના સભ્ય નથી. સુશ્રી મમતા બેનરજીઍ ૪ મે, ૨૦૨૧ના રોજ શપથ લઈ મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો. તેના ૬ મહિનાની અંદર ઍટલે કે, ૪ નવેમ્બર, ૨૦૨૧ સુધી વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે અને તે બંધારણ મુજબ ફરજીયાત છે. તેમણે પોતાના માટે ભવાનીપુરની બેઠક ખાલી પણ કરાવી દીધી છે. પરંતુ તેઅો વિધાનસભાના સભ્ય ત્યારે જ બની શકે છે જ્યારે નિર્ધારિત સમયની અંદર ચૂંટણી સંભવ બને. કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે દેશની તમામ ચૂંટણીઅો સ્થગિત કરેલ છે અને ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે બાબતમાં અત્યારે આકલન કરવું મુશ્કેલ છે.
બંગાળમાં જ્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરાવવામાં આવી રહી હતી ત્યારે મોટાભાગના રાજનૈતિક પક્ષોઍ ચૂંટણી પંચ ઉપર લોકોની જાન સાથે રમવાનો આરોપ લગાવ્યો હતો. ઍવામાં હવે જ્યાં સુધી ઍ સુનિડ્ઢિત નહીં થઈ જાય કે ચૂંટણી કરાવવાથી કોઈની પણ જાનને ખતરો નથી ત્યાં સુધી ચૂંટણી થવી હાલના તબક્કે મુશ્કેલ દેખાઈ રહી છે. તેથી દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પણ રાહ જાવી પડશે ઍવું પ્રતિત થઈ રહ્નાં છે.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

Leave a Comment