June 13, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

કપરાડાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ વિસ્‍તારમાં સૌથી વધારે વરસાદ પડે છે. વરસાદ તેમના માટે આશિર્વાદરૂપ કરતા શાપરૂપ વધારે બની રહે છે. કારણ કે ચોમાસામાં અનેક કોઝવે, ચેકડેમ, પુલો, રસ્‍તાઓના ધોવાણ થઈ જતા હોય છે. પરિણામે વિપરીત સ્‍થિતિનો સામનો મોટા ભાગના વિસ્‍તારના લોકો કરતા આવ્‍યા છે. તેનુ જીવંત ઉદાહરણીય ઘટના કપરાડાના વાવર ગામે ઘટી છે. ગામમાં મૃત્‍યુ થતા અંતિમ યાત્રા સ્‍મશાને પહોંચવા માટે ધસમસતા કોઝવે ઉપરથી જીવના જોખમે ચાલીને ગ્રામજનોએ કાઢી હતી.
કપરાડાવિસ્‍તારમાં વરસતા અતિશય વરસાદને આધિન અનેક વિષમ સ્‍થિતિઓ પ્રત્‍યેક ચોમાસામાં થતી હોય છે. અનેક ગામોના રોડ, રસ્‍તા, કોઝવેના ધોવાણો થતા સંપર્ક તૂટી જતા હોય છે. કપરાડાના વાવર ગામ પાસે આવેલ કોઝવે ઉપર વહી રહેલા પાણીને લઈ સ્‍મશાનનો સંપર્ક તૂટી ગયો છે. આજે રવિવારે ગ્રામજનોને અંતિમ યાત્રા કોઝવે ઉપર પાણીમાં જીવના જોખમે કાઢવી પડી હતી. આઝાદી ના 75 વર્ષનો દેશ અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે પરંતુ કપરાડા અંતરિયાળ વિસ્‍તાર આજે પણ પ્રાથમિક અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્‍તાર ડગલ પગલે અસહ્ય લાચારીનો ભોગ બની રહ્યો છે.
—–

Related posts

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment