July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

તાલુકાના બલીઠા, નામધા, છીરી, છરવાડા અને પાલિકા વિસ્‍તચારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા ચૂંટણી સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લામાં રાજકારણનો દોર ચાલુ થઈ ચૂક્‍યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્‍ચે ચૂંટણી જંગ આરંભાઈ ચૂક્‍યો છે. બન્ને ઉમેદવાર છેલ્લા બે દિવસથી વાપી-ઉમરગામ વિસ્‍તારમાં ચૂંટણી સભાઓ અને પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્‍યો છે તે અનુસાર જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સોમવારે આખો દિવસ વાપી વિસ્‍તારમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ યોજી હતી.
વાપીમાં કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્‍યા છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો વાપી સિનિયર સિટીઝન હોલમાં અભિવાદન સમારોહ કોંગ્રેસ દ્વારા આયોજન કરાયો હતો. સમારંભને સંબોધન કરતા અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, રોડ અને પુલ બનાવવાને વિકાસ કહેવાતો નથી. સામાન્‍ય નાગરિકોપ્રાથમિક સુવિધા-આરોગ્‍ય-રોજગારની વિકરાળ સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવી ભાજપ શાસન અને સરકારને આડે હાથે લીધા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ, મિનેશ દેસાઈ, પીરૂ મકરાણી, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. આપ અને કોંગ્રેસ દ્વારા વાપી નગરપાલિકા વિસ્‍તારની સાથે સાથે બલીઠા, નામધા, છીરી, છરવાડા વિસ્‍તારમાં નાની મોટી ચૂંટણી સભાઓ યોજી કોંગ્રેસને જીતાડવા મતદારોને અપીલ કરવામાં આવી હતી. અનંત પટેલે જણાવ્‍યું હતું કે, ગત ચૂંટણીમાં આપને દોઢ લાખ ઉપરાંત મતો મળ્‍યા હતા એ મતો કોંગ્રેસને મળશે એટલે જીત નક્કી છે. ભાજપની રૂા.5 લાખથી જીતના દાવાનો જવાબ પરિણામ આપી દેશે.

Related posts

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment