Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્‍તારમાં સ્‍થાપિત ગણેશ મૂર્તિઓનુ અનંત ચૌદશના દિવસે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
સેલવાસના પીપરીયા વિસ્‍તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્‍ટ્રથી વિસર્જન માટેટીમ બોલાવવામાં આવી હતી. આની સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને ડેકોરેશન કરવામાં આવ્‍યું હતું. દાનહ પોલીસ દ્વારા લોકોને અગવડ ના પડે એ માટે ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો.
આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર-ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. વિસર્જન યાત્રા દરમ્‍યાન કોઈને અગવડ ના પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્‍થળો પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણગંગા નદીકિનારે કુત્રિમ તળાવમાં કરવામાં આવ્‍યું હતું.હતુ.

Related posts

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના સરપંચો માટે દૂધની-કૌંચા ખાતે બે દિવસીય ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment