(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનુ અનંત ચૌદશના દિવસે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું.
સેલવાસના પીપરીયા વિસ્તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટેટીમ બોલાવવામાં આવી હતી. આની સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું. દાનહ પોલીસ દ્વારા લોકોને અગવડ ના પડે એ માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર-ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમ્યાન કોઈને અગવડ ના પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણગંગા નદીકિનારે કુત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું.હતુ.