Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

ચૂંટણી દરમિયાન કોઈપણ દેશ, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્‍લીલતા, હિંસા ભડકાવતી, રાષ્ટ્રપતિ અને ન્‍યાયતંત્રને લગતી ટીપ્‍પણી સહિત ધાર્મિક પ્રતિષ્‍ઠાનોને દર્શાવતા પોસ્‍ટર, સૈનિક, પોલીસ જવાનોના ફોટાનો ઉપયોગ નહીં કરવા સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : લોકસભા ચૂંટણી-2024ની તારીખો જાહેર થઈ ગઈ છે ત્‍યારે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે આજે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાનહ કલેક્‍ટરાલયના સભાખંડમાં આયોજીત પત્રકારોને સંબોધતા જિલ્લા કલેક્‍ટરશ્રી પ્રિયાંક કિશોરે ડિજિટલ મીડિયા, પ્રિન્‍ટ મીડિયા, ઈલેક્‍ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં રાજકીય પક્ષો દ્વારા અપાતી જાહેરાતોને લગતી ગાઈડલાઈનને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા મીડિયામાં અપાતી જાહેરાતો સંદર્ભમાં માર્ગદર્શન આપ્‍યું હતું. જેમાં બીજા કોઈ દેશ માટેટિપ્‍પણી, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્‍લીલ ટિપ્‍પણી, હિંસા ભડકાવતી ટીપ્‍પણી, ભારતના રાષ્ટ્રપતિ અને ન્‍યાયતંત્રને લાગતી ટીપ્‍પણી, મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરેને દર્શાવતા પોસ્‍ટરનો ઉપયોગ, સૈનિક, પોલીસ જવાનોના ફોટોના ઉપયોગ, વ્‍યક્‍તિગત જીવન ઉપરની ટિપ્‍પણીને લઈને માર્ગદર્શન આપ્‍યું હતું.
પત્રકારોને સંબોધતા પહેલાં દાનહ સ્‍વીપ એક્‍ટિવિટી માટેના માસ્‍કોટનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. દાનહમાં સ્‍વીપ અંતર્ગત મતદાનની જાગૃતિ કાર્યક્રમ કરીને મતદાનની ટકાવારી વધારવા પ્રયાસો કરાશે.
આ અવસરે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, ચૂંટણી વિભાગના અધિકારીઓ અને વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

Leave a Comment