Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી સમા સેવા એજ પ્રભુ સેવા જેમના જીવનનું એકમાત્ર સિદ્ધાંત છે એવા અને વાપીની જનતા જેમને કલયુગ કા કર્ણ ના નામે ઓળખે છે એવા વાપીના સમાજ સેવક કિરણ રાવલ સેવાકિય પ્રવૃતિ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. સમાજ સેવક કિરણ રાવલ પોતાની 41 વર્ષની ઉમરમાં. આજદિન સુધી 98 મી વખત રક્‍ત દાન કર્યું હતું. સમાજ સેવક કિરણ રાવલ પર ફોન આવ્‍યો કે એક પેશન્‍ટ જેમને બી+ની જરૂરી છે તેઓ કોઈ સંકોચ કાર્ય વિના તેમને હરિયા હોસ્‍પિટલ ખાતે 98મી વખત રક્‍તદાન કર્યું હતું. સમાજ સેવક કિરણ રાવલ કોઈ જાતપાતના ભેદભાવ રાખ્‍યા વગર રક્‍તદાન કરતા આવ્‍યા છે. કિરણ રાવલ વાપીમાં જ નહિ પરંતુ વલસાડ જિલ્લામાં કોઈ પણ જગ્‍યાએ કોઈ પણહોસ્‍પિટલમાં જઈ પોતાના સ્‍વ ખર્ચે જઈ નિઃસ્‍વાર્થ ભાવે રક્‍તદાન કરે છે. કિરણ રાવલના ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા પણ અવર નવર રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું જ રહે છે. કિરણ રાવલ હંમેશા લોકોને રક્‍તદાન કરવા અપીલ કરતા આવ્‍યા છે. આમ કિરણ રાવલે પોતાના અમૂલ્‍ય રક્‍તનું દાન કરી વાપીના જ નહિ પરંતુ વલસાડ જિલ્લાના સેંકડો જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવ્‍યા છે. કિરણ રાવલ સમાજ ન દરેક લોકોને વધુમાં વધુ માત્રામાં વિના સંકોચે રક્‍તદાન કરવા માટે સમજાવતા રહે છે. રક્‍તદાન મહાદાન એ સૂત્ર સમાજ સેવક કિરણ રાવલ એ સાચા અર્થમાં સાબિત કરી બતાવ્‍યું છે. સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા 21 વર્ષથી સતત વર્ષમાં સરેરાશ 5 વખત જરૂરિયાતમંદોને રક્‍ત આપી જીવ બચાવતા આવ્‍યા છે. સમાજ સેવક કિરણ રાવલ સરેરાશ પોતાની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખી અને ડોક્‍ટરોના જણાવ્‍યા મુજબ દર સરેરાશ 70 દિવસમાં પોતે રક્‍તદાન કરતા જ રહે છે. સમ સેવક કિરણ રાવલના જણાવ્‍યા મુજબ દરેક વ્‍યક્‍તિ પોતાની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખી રક્‍તદાન તો કરવું જોઈએ અને વિજ્ઞાન મુજબ શરીરના બંધારણ અને ડોક્‍ટરોના મત અનુસાર જે તે વ્‍યક્‍તિ એક વખતમાં જે રક્‍ત આપી રક્‍તદાન કરે છે એ રક્‍તને પાછું પોતાના શરીરમાં બનતા માત્ર 15 થી 20 દિવસ થાય છે પરંતુ જે તે રક્‍તદાતા નિર્વ્‍યસનીતેમજ નિરોગી હોવો જરૂરી છે. રક્‍તદાન કરવાથી શરીરમાં નવું લોહી ઝડપી બને છે. જેનાથી સ્‍વાસ્‍થ્‍ય સારું અને નિરોગી બને છે. આમ સમાજ સેવક કિરણ રાવલ પોતાની 41 વર્ષની ઉંમરમાં 98 વખત રક્‍તદાન કરી એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂラરું પાડયું છે.

Related posts

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

Leave a Comment