June 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: અંજનિપુત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ નિમિત્તે ખાંભડા ગામે હનુમાનજી મંદિરે મંદિરના 10-માં પાટોત્‍સવ સાથે શ્રી હનુમાન જન્‍મોત્‍સવની શરૂઆત સ્‍થાનિક આગેવાન અને કાવેરી સુગરના ડિરેકટર ભરતભાઈ જગુભાઈ પટેલના પરિવારના યજમાન પદે ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડનું પારાયણ દ્વારા કરાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી દાદાના દર્શન કરી મહાપ્રસાદનો લાહ્વો લીધો હતો. ગણદેવી તાલુકાના વલોટી ગામે શ્રી જય હનુમાનજીનાજન્‍મોત્‍સવ ઉજવાયો હતો, સોલધરા ગામે શ્રી જય હનુમાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટ દ્વારા હનુમાનજીના મંદિરે હવન તથા મહાપ્રસાદનું આયોજન કરાતા અનેક ભક્‍તોએ લાભ લીધો હતો. કુકેરી ગામના મારુતિધામમાં હનુમાન જન્‍મોત્‍સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ, ધ્‍વજા રોહણ, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા. ઘેજ ગામે ખરેરા નદીના તટે બિરાજમાન સ્‍યંભુ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્‍તોની ભીડ જામી હતી. અને યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત તલાવચોરા દેસાઈવાડ સ્‍થિત દક્ષિણા મુખી હનુમાનજી મંદિરે પણ ભુદેવ ગોપાલભાઈ મહારાજના મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. ખૂંધ સાત પીપળા, ચીખલીમાં ગાયત્રી મંદિર, ધોબીવાડ સ્‍થિત હનુમાનજીના મંદિરે ખૂંધ અંબામાતા મંદિરે તથા ઘેજ મોટા ડુંભરીયા, ટાંકલ, રૂમલા, સાદકપોર સહિતના ગામે ગામ યજ્ઞ, મહાપ્રસાદ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજી હનુમાન દાદાને કાળા તલ, તેલ, સિંદૂર, આંકડાના ફૂલ ચઢાવી પૂજા અર્ચના દર્શન કરી હનુમાનજી જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

નર્મદાના સાહિત્‍યકાર દીપક જગતાપને ‘નર્મદારત્‍ન એવોર્ડ-2024′ એનાયત

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

Leave a Comment