Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: અંજનિપુત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ નિમિત્તે ખાંભડા ગામે હનુમાનજી મંદિરે મંદિરના 10-માં પાટોત્‍સવ સાથે શ્રી હનુમાન જન્‍મોત્‍સવની શરૂઆત સ્‍થાનિક આગેવાન અને કાવેરી સુગરના ડિરેકટર ભરતભાઈ જગુભાઈ પટેલના પરિવારના યજમાન પદે ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડનું પારાયણ દ્વારા કરાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી દાદાના દર્શન કરી મહાપ્રસાદનો લાહ્વો લીધો હતો. ગણદેવી તાલુકાના વલોટી ગામે શ્રી જય હનુમાનજીનાજન્‍મોત્‍સવ ઉજવાયો હતો, સોલધરા ગામે શ્રી જય હનુમાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટ દ્વારા હનુમાનજીના મંદિરે હવન તથા મહાપ્રસાદનું આયોજન કરાતા અનેક ભક્‍તોએ લાભ લીધો હતો. કુકેરી ગામના મારુતિધામમાં હનુમાન જન્‍મોત્‍સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ, ધ્‍વજા રોહણ, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા. ઘેજ ગામે ખરેરા નદીના તટે બિરાજમાન સ્‍યંભુ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્‍તોની ભીડ જામી હતી. અને યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત તલાવચોરા દેસાઈવાડ સ્‍થિત દક્ષિણા મુખી હનુમાનજી મંદિરે પણ ભુદેવ ગોપાલભાઈ મહારાજના મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. ખૂંધ સાત પીપળા, ચીખલીમાં ગાયત્રી મંદિર, ધોબીવાડ સ્‍થિત હનુમાનજીના મંદિરે ખૂંધ અંબામાતા મંદિરે તથા ઘેજ મોટા ડુંભરીયા, ટાંકલ, રૂમલા, સાદકપોર સહિતના ગામે ગામ યજ્ઞ, મહાપ્રસાદ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજી હનુમાન દાદાને કાળા તલ, તેલ, સિંદૂર, આંકડાના ફૂલ ચઢાવી પૂજા અર્ચના દર્શન કરી હનુમાનજી જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશની બુનિયાદી સમસ્‍યા અને જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત પ્રધાનમંત્રી મોદીએ પ્રશાસક તરીકે નોન આઈ.એ.એસ. પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો લીધેલો ઐતિહાસિક સાર્થક નિર્ણય

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

Leave a Comment