March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
ઘેજ-બીડથી ખેરગામ રોડને જોડતા માર્ગ સ્‍થિત વાડખાડી ઉપરના લો-લેવલના માઇનોર બ્રિજ ઉપર ચોમાસામાં વધુ વરસાદના સમયે પાણી ફરી વળતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર અટકી જતો હોય છે અને આ માર્ગ આ વિસ્‍તારના લોકો માટે જીવાદોરી સમન હોય પૂરતી ઊંચાઈ વાળા નવા પુલના નિર્માણ માટે સ્‍થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે.
જેને લઈને આજરોજ બાંધકામ સમિતિના અધ્‍યક્ષદિપાબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપના આગેવાન અને એપીએમસી ચેરમેન કિશોરભાઈ શક્‍તિ કેન્‍દ્રના પ્રમુખ અને પૂર્વ સરપંચ શ્રી વિનોદભાઈ, ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર શ્રી ચેતનભાઈ બીડના અગ્રણી શ્રી ભુપતભાઈ સહિતનાઓ સાથે વાડખાડીના ડૂબાઉ પુલનું નિરીક્ષણ કરી નવા પુલના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગ પાસે જરૂરી દરખાસ્‍ત કરી આગળની કાર્યવાહી માટે હૈયાધરપત આપી હતી.
આ ઉપરાંત અધ્‍યક્ષ દિપાબેન પટેલે ઘેજ મોટા ડુંભરીયામાં નવીનીકરણ થઈ રહેલા મુખ્‍યમાર્ગની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કરી કામમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાવવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને તાકીદ કરી હતી.ઉપરોક્‍ત માર્ગનું નવીનીકરણનું કામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે અને જેને પગલે સ્‍થનિકોએ હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગેની રજૂઆતને પગલે બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન અને કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ સહિતનાઓએ સ્‍થળ મુલાકાત કરી કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી.

Related posts

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

Leave a Comment