(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલીમાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 01 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5919કેસ રીકવર થઇચુકયા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 485 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 161 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે 2316 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 406936 અને બીજો ડોઝ 271836 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ 678772લોકોને વેક્સીન આપવામાં આવી છે.