Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ચણોદ સ્‍થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ. (રાષ્‍ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. એન.સી.સી.ના દરેક સ્‍વયં સેવકોને વર્ષ દરમ્‍યાન વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહી નિઃસ્‍વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ધ્‍યાનમાં રાખતા યુવા કલ્‍યાણ અને રમત-ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક એન.એસ.એસ. સેલ અંતર્ગત ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડિસા અને એન.એસ.એસ. સેલના સંયુક્‍ત આયોજન દ્વારા નેશનલ ઈન્‍ટિગ્રીટેડ કેમ્‍પ-2024 (એનઆઈસી)નું આયોજન ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડિસા ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્‍યામાં એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્‍પમાં સદર કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ.ના સ્‍વયં સેવકો હિતીકા પટેલ અને આશુતોષ પાલએ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્‍પનું આયોજનમાં મુખ્‍ય હેતુ દરેકને એકતામાં લાવીતંદુરસ્‍ત, મજબૂત અને વિવિધતામાં એકતા કેળવી દેશની વિવિધ સાંસ્‍કળતિમાં પણ એકતા છે તેના અનુભવ કરાવ્‍યો હતો. સ્‍વયં સેવિકોને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈએ પૂરૂં પાડયું હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્‍યક્‍ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

Leave a Comment