Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

જી.ઈ.બી.ના ફોન મોટા ભાગે બંધ આવે છે : લોકોમાં જોવા મળી રહેલો રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરના દેસાઈ વાડ વિસ્‍તાર છેલ્લા ત્રણ ચાર દિવસથી વિજળી સમસ્‍યાગ્રસ્‍ત બની ગયો છે. વારંવાર થઈ જતી વિજળી ગુલથી લોકો ત્રાસી ગયા છે.
વાપી દેસાઈવાડ એટલે વાપીની ઓળખ સમો વિસ્‍તાર. આ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં દેસાઈ વસવાટ કરે છે તેવા વિસ્‍તાર છેલ્લા બે-ત્રણ દિવસથી વિજળી સમસ્‍યા ગ્રસ્‍ત બન્‍યો છે. વારંવાર લાઈટ બંધ થઈ જતા લોકોની હાલાકી વધી રહી છે. બીજી તરફ વીજ સમસ્‍યા અંગે જી.ઈ.બી.માં ફરિયાદ કે કમ્‍પ્‍લેશન કરવામાં આવે ત્‍યારે ફોન મોટા ભાગે બંધ આવે છે. ત્‍યારે ઊર્જા મંત્રી ખુદ કનુભાઈ દેસાઈ છે ત્‍યારે વાપી દેસાઈવાડ વિસ્‍તારની લાઈટની સમસ્‍યા અંગે ઘટતા પગલા ભરી સમસ્‍યાનો અંત આવે તેવી સ્‍થાનિક લોકોની પ્રબળ માંગ છે.

Related posts

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

Leave a Comment