(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપીનજી રાવતના અકાળે અવસાન થતાં દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટ્વીટર ઉપર દુઃખ વ્યક્ત કરી ટ્વીટ કરતાજણાવ્યું હતું કે, ‘‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપિન રાવતના અકાળ અવસાનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે, રાષ્ટ્ર તેમની બહાદુરી અને રાષ્ટ્રની સેવામાં આપેલા બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.”