April 18, 2026
Vartman Pravah
તંત્રી લેખ

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

ભારતના ઈતિહાસમાં પહેલી વખત પ્રધાન મંડળમાં ઍસ.સી., ઍસ.ટી., અો.બી.સી. અને મહિલાને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ મે, ૨૦૧૪માં અખત્યાર સંભાળ્યો ત્યારથી આજ સુધી તેમણે પોતાના રાજધર્મ નિભાવવા કોઈ કસર બાકી રાખી નથી.
ટચૂકડો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી હોય કે પ્રવાસનના વિકાસની ક્ષમતા ધરાવતું ઉપેક્ષિત લક્ષદ્વીપ હોય, દરેક વિસ્તાર, લોકો અને પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વહીવટમાં જાવા મળે છે. આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં ૧૩૦ કરોડ કરતા વધુ ભારતીયોની આશા, આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો પડ્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું જ દૃષ્ટાંત લઈઍ તો ૨૦૧૪ પહેલાં આ પ્રદેશની અોળખ શું હતી? જ્યારે આજે આ પ્રદેશમાં થયેલ પરિવર્તન આંખે ઉડીને વળગે છે. ઍક સંપૂર્ણ રાજ્યમાં જે સુવિધા, સેવા અને સાધનો હોય તે તમામ ઍક તાલુકા કરતા પણ નાના ગણાતા પ્રદેશ પાસે છે અને પ્રવાસનની અનેકગણી સંભાવનાઅો વિકસાવી છે. આ વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમીદૃષ્ટિ વગર સંભવ જ નહીં હતો.
આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં દેશના ઈતિહાસમાં પહેલી વખત કચડાયેલા દબાયેલા અને શોષિત વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. આજે ગર્વથી કહી શકાય છે કે, મોદી સરકાર વંચિત પીડિત અોબીસીની સરકાર છે. મોદી સરકાર મહિલાઅોની સરકાર છે. મોદી સરકાર યુવાનોની સરકાર છે. મોદી સરકાર છેવાડેના લોકોની સરકાર છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ દેશની આઝાદીના ૭૫ વર્ષમાં નવા ભારતના ઘડતરનો મજબૂત પાયો નાંખ્યો છે અને દેશના ૧૩૦ કરોડ ભારતીયોને લાગે છે કે, મોદી સરકાર અમારી સરકાર છે.

Related posts

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

Leave a Comment