March 4, 2026
Vartman Pravah
તંત્રી લેખ

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

ભારતના ઈતિહાસમાં પહેલી વખત પ્રધાન મંડળમાં ઍસ.સી., ઍસ.ટી., અો.બી.સી. અને મહિલાને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ મે, ૨૦૧૪માં અખત્યાર સંભાળ્યો ત્યારથી આજ સુધી તેમણે પોતાના રાજધર્મ નિભાવવા કોઈ કસર બાકી રાખી નથી.
ટચૂકડો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી હોય કે પ્રવાસનના વિકાસની ક્ષમતા ધરાવતું ઉપેક્ષિત લક્ષદ્વીપ હોય, દરેક વિસ્તાર, લોકો અને પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વહીવટમાં જાવા મળે છે. આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં ૧૩૦ કરોડ કરતા વધુ ભારતીયોની આશા, આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો પડ્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું જ દૃષ્ટાંત લઈઍ તો ૨૦૧૪ પહેલાં આ પ્રદેશની અોળખ શું હતી? જ્યારે આજે આ પ્રદેશમાં થયેલ પરિવર્તન આંખે ઉડીને વળગે છે. ઍક સંપૂર્ણ રાજ્યમાં જે સુવિધા, સેવા અને સાધનો હોય તે તમામ ઍક તાલુકા કરતા પણ નાના ગણાતા પ્રદેશ પાસે છે અને પ્રવાસનની અનેકગણી સંભાવનાઅો વિકસાવી છે. આ વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમીદૃષ્ટિ વગર સંભવ જ નહીં હતો.
આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં દેશના ઈતિહાસમાં પહેલી વખત કચડાયેલા દબાયેલા અને શોષિત વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. આજે ગર્વથી કહી શકાય છે કે, મોદી સરકાર વંચિત પીડિત અોબીસીની સરકાર છે. મોદી સરકાર મહિલાઅોની સરકાર છે. મોદી સરકાર યુવાનોની સરકાર છે. મોદી સરકાર છેવાડેના લોકોની સરકાર છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ દેશની આઝાદીના ૭૫ વર્ષમાં નવા ભારતના ઘડતરનો મજબૂત પાયો નાંખ્યો છે અને દેશના ૧૩૦ કરોડ ભારતીયોને લાગે છે કે, મોદી સરકાર અમારી સરકાર છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની ઉજવણીમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએઃ પાડા ફળિયા પંચાયત સુધી આનંદોત્‍સવ મનાવવો જરૂરી

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

Leave a Comment