April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

માત્ર 1 લાખ 21 હજાર 669 જેટલા મતદારો ધરાવતી દમણ અને દીવની સંસદીય લોકસભા બેઠકમાં હવે કોઈ એક સમાજ કે સમુદાયનું વર્ચસ્‍વ રહ્યું નથી

દમણ અને દીવની બેઠકમાં પરપ્રાંતિઓની નિર્ણાયક ભૂમિકાઃ કોળી પટેલના લગભગ 17 હજાર મતદારો, માછી સમાજના દીવ સાથે મળી કુલ લગભગ 32 હજાર મતદારો તથા સ્‍થાનિક આદિવાસી-દલિતના 23 હજાર મતદારોના મન ઉપર આધારિત રહેશે ચૂંટણીનું ગણિત

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડે ત્રણ કે તેનાથી વધુ લોકસભાની ચૂંટણી જીતેલા સાંસદોને ફરી ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાની ખબર કેટલાક રાષ્‍ટ્રીય અખબારો અને પ્રસાર માધ્‍યમોમાં વહેતી થઈ છે. ત્‍યારે લોકસભાની દમણ અને દીવ બેઠક ઉપર વિજયની હેટ્રિક મારી ઈતિહાસ સર્જનારા સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પછી કોણ?ની ચર્ચાએ વેગ પકડયો છે. જો શ્રી લાલુભાઈ પટેલને ફરી ટિટિક નહીં આપવામાં આવે તો ભાજપમાં દાવેદારો અને મહત્ત્વાકાંક્ષીઓની સંખ્‍યા ડઝનથી પણ વધુ છે.
ભારત દેશમાં લક્ષદ્વીપ બાદ સૌથી ઓછા મતદારો ધરાવતી દમણ અને દીવ લોકસભા બેઠક છે. આ બેઠકમાં લગભગ 1,21,669 જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકી 50 ટકા કરતા વધુ મતદારો પરપ્રાંતિય ઔદ્યોગિકકામદારો, મજૂરો, વેપારીઓ વગેરે છે. તેથી દમણ અને દીવ બેઠક ઉપર કોઈપણ એક સમાજ કે સમુદાયનું વર્ચસ્‍વ હવે રહ્યું નથી.
દમણ અને દીવમાં મોટાભાગે યુ.પી., બિહાર, મહારાષ્‍ટ્ર, ગુજરાત, દક્ષિણ ભારત સહિતના દેશના તમામ વિસ્‍તારના લોકો મતદાર તરીકે નોંધાયેલા છે. સ્‍થાનિક મતદારોની વાત કરીએ તો દમણ-દીવમાં કોળી પટેલના કુલ લગભગ 17000 મતદારો છે. માછી સમાજમાં ખારવા, માછી(ટંડેલ), માંગેલા, મીટના, કોળી માછી વગેરેને ગણતરીમાં લેવામાં આવે તો લગભગ 32000 જેટલા મતદારો થાય છે. તેની સામે સ્‍થાનિક આદિવાસી-દલિત મતદારો લગભગ 23000ના આજુબાજુ અને પરપ્રાંતથી આવેલા આદિવાસી-દલિત મતદારોને ગણતરીમાં લેવામાં આવે તો લગભગ આ સંખ્‍યા 35000ના આજુબાજુ પહોંચી શકે છે.
દમણ અને દીવ ટચૂકડો કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાની સાથે અહીં વિધાનસભા નહીં હોવાથી સાંસદનું પદ મહત્‍વનું બની રહે છે. તેથી ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે શિક્ષિત તથા પ્રમાણિક અને ગુનાહિત ભૂતકાળ નહીં હોય તેવા ઉમેદવારને તક આપવી જોઈએ.

Related posts

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

Leave a Comment