April 20, 2024
Vartman Pravah
Other

રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.૦૭
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-૧૯ની રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. ૨૧ જૂન, ૨૦૨૧ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ સંઘપ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને સંઘપ્રદેશો ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને સંઘપ્રશોને વિના મૂલ્યે કોવિડ-૧૯ રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ૭૫„ રસી રાજ્યો અને સંઘપ્રદેશોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.
ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડ (૩૭,૪૩,૨૫,૫૬૦)થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા ૪૮,૬૫,૧૧૦ડોઝ હજુ ઉપલબ્ધ છે. તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ ૩૫,૭૫,૯૮,૯૪૭ રસી (આજે સવારે ૮ વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે.

Related posts

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment