July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્‍યારે હાલ અમદાવાદ ખાતે એસ્‍ટ્રો ફાઉન્‍ડેશન દ્વારા YMCA ક્‍લબ દ્વારા છ દિવસીય એક એસ્‍ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા ભારતની મોટી મોટી હસ્‍તીઓ, ધર્મ ગુરૂ ઉપસ્‍થિત રહ્યા હતા, અને મુખ્‍ય અતિથિ તરીકે ડો.એચ.એસ. રાવત, ગુલશન ગ્રોવર, શકિત કપૂર, ભાગ્‍યશ્રી, આરતી છાવડીયા, મમતા સોની, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ઘોઘલાના રહેવાસી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે પીએચડી પૂર્ણ થતાં પીએચડીની પદવી તથા એસ્‍ટ્રો સાઈન્‍સ વાસ્‍તુ એવોર્ડ 2024 ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે એનાયત કરીસન્‍માનિત કર્યા હતા. આ એવોર્ડ મળતા દીવ ખાતે બ્રહ્મ સમાજ તથા તેમના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્‍યો હતો, તથા દીવને ગૌરવ અપાવ્‍યું હતું.

Related posts

વલસાડના નનકવાડા ખાતેની શાળામાં આયોજીત સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોડીપાડા અને માંડા શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્‍યા

vartmanpravah

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

Leave a Comment