February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્‍મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. બપોરના સમયે બનવા પામેલી ઘટનામાં કંપનીમાં રાખેલ કોસ્‍મેટિક વસ્‍તુઓની ઉત્‍પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જવનશીલ પદાર્થોમાં એકાએક ધડાકા સાથે આગ લાગતા ભયના વાતાવરણ સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની તીવ્રતાના કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારો કંપનીની બહાર નીકળે એ પહેલા 15 જેટલા કામદારો દાઝી જવા પામ્‍યા હતા. જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આગના કારણે ઈજાગ્રસ્‍ત થયેલા કામદારોમાંથી મમતા હોસ્‍પિટલ તેમજ વાપીની સૂર્યા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. આગ લાગવાની ઘટના સાથે થયેલા ધડાકાના કારણે આગનીતીવ્રતા વધુ ઝડપી હતી. જેના કારણે કંપનીમાં કામ કરતા તેમજ આગને ઓલવવાનો પ્રયાસ કરનાર બાજુની કંપનીના કામદારો પણ ઈજાગ્રસ્‍ત થવા પામ્‍યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટના સ્‍થળ પર ધસી આવેલી વાપી તેમજ ઉમરગામના ફાયર બ્રિગેડ જવાની ટીમે આગ ઉપર કાબુ મેળવે ત્‍યાં સુધીમાં કંપનીમાં રાખેલ રો-મટીરીયલ, ફિનિશ ગુડસ સહિતની સામગ્રીને ભારે નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સહ-સદસ્‍ય સચિવ અમિત પી.કોકાટેના માર્ગદર્શન હેઠળ કચીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાનૂની શિબિરમાં એસસી/એસટી એટ્રોસીટી એક્‍ટ અને શિક્ષણના અધિકાર વિશે આપવામાં આવેલી માહિતી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકારની મુલાકાતમાં દમણ અને દીવના અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ-એસ.ઓ.પી.ની યાદ અપાવતા સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment