Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્‍મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. બપોરના સમયે બનવા પામેલી ઘટનામાં કંપનીમાં રાખેલ કોસ્‍મેટિક વસ્‍તુઓની ઉત્‍પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જવનશીલ પદાર્થોમાં એકાએક ધડાકા સાથે આગ લાગતા ભયના વાતાવરણ સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની તીવ્રતાના કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારો કંપનીની બહાર નીકળે એ પહેલા 15 જેટલા કામદારો દાઝી જવા પામ્‍યા હતા. જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આગના કારણે ઈજાગ્રસ્‍ત થયેલા કામદારોમાંથી મમતા હોસ્‍પિટલ તેમજ વાપીની સૂર્યા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. આગ લાગવાની ઘટના સાથે થયેલા ધડાકાના કારણે આગનીતીવ્રતા વધુ ઝડપી હતી. જેના કારણે કંપનીમાં કામ કરતા તેમજ આગને ઓલવવાનો પ્રયાસ કરનાર બાજુની કંપનીના કામદારો પણ ઈજાગ્રસ્‍ત થવા પામ્‍યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટના સ્‍થળ પર ધસી આવેલી વાપી તેમજ ઉમરગામના ફાયર બ્રિગેડ જવાની ટીમે આગ ઉપર કાબુ મેળવે ત્‍યાં સુધીમાં કંપનીમાં રાખેલ રો-મટીરીયલ, ફિનિશ ગુડસ સહિતની સામગ્રીને ભારે નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

Leave a Comment