October 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસના અનુસંધાને 16 મે 2024 ના રોજ દીવ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ, દીવ દ્વારા સી. એચ. સી. ઘોઘલા ખાતે આરોગ્‍ય કર્મચારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં આરોગ્‍ય વિભાગના CHO, ANM/ BHW, અને આરોગ્‍ય/ મલેરિયાના કર્મચારીઓને ડેન્‍ગ્‍યુ રોકધામ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ડેન્‍ગ્‍યુ નાથવા માટે વિવિધ કાર્યો કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે જઈ મચછરજન્‍ય રોગ વિશે સમજણ, તાવ જેવા લક્ષણ નો રીપોર્ટ માટે લોહી લેવું, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી ચોમાસાની ઋતુમાં શરૂઆતથી જ રોગ અટકાયતી કામગીરી સઘન કરવામાં આવી રહી છે.
આરોગ્‍ય અધિકારી, ડૉ. સુલતાનના જણાવ્‍યા મુજબ વરસાદની સીઝન પહેલાતાયારીના ભાગરૂપે આરોગ્‍ય સ્‍ટાફને ડેંગ્‍યૂ ઉપદ્રવ ન થાય અને વહેલી ઓળખ અને નિદાન માટે હૉસ્‍પિટલ સ્‍ટાફને જાગૃત કરવામાં આવ્‍યા જે ઘરે ઘરે જઈ લોકોમાં જાગૃતી ફેલાવે અને જો લક્ષનો જણાઈ તો, SC, PHC, CHC, GHD માં સારવાર ઉપલબ્‍ધ છે.

Related posts

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment