(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.16: રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના અનુસંધાને 16 મે 2024 ના રોજ દીવ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા સી. એચ. સી. ઘોઘલા ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આરોગ્ય વિભાગના CHO, ANM/ BHW, અને આરોગ્ય/ મલેરિયાના કર્મચારીઓને ડેન્ગ્યુ રોકધામ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ નાથવા માટે વિવિધ કાર્યો કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે જઈ મચછરજન્ય રોગ વિશે સમજણ, તાવ જેવા લક્ષણ નો રીપોર્ટ માટે લોહી લેવું, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી ચોમાસાની ઋતુમાં શરૂઆતથી જ રોગ અટકાયતી કામગીરી સઘન કરવામાં આવી રહી છે.
આરોગ્ય અધિકારી, ડૉ. સુલતાનના જણાવ્યા મુજબ વરસાદની સીઝન પહેલાતાયારીના ભાગરૂપે આરોગ્ય સ્ટાફને ડેંગ્યૂ ઉપદ્રવ ન થાય અને વહેલી ઓળખ અને નિદાન માટે હૉસ્પિટલ સ્ટાફને જાગૃત કરવામાં આવ્યા જે ઘરે ઘરે જઈ લોકોમાં જાગૃતી ફેલાવે અને જો લક્ષનો જણાઈ તો, SC, PHC, CHC, GHD માં સારવાર ઉપલબ્ધ છે.