July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસના અનુસંધાને 16 મે 2024 ના રોજ દીવ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ, દીવ દ્વારા સી. એચ. સી. ઘોઘલા ખાતે આરોગ્‍ય કર્મચારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં આરોગ્‍ય વિભાગના CHO, ANM/ BHW, અને આરોગ્‍ય/ મલેરિયાના કર્મચારીઓને ડેન્‍ગ્‍યુ રોકધામ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ડેન્‍ગ્‍યુ નાથવા માટે વિવિધ કાર્યો કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે જઈ મચછરજન્‍ય રોગ વિશે સમજણ, તાવ જેવા લક્ષણ નો રીપોર્ટ માટે લોહી લેવું, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી ચોમાસાની ઋતુમાં શરૂઆતથી જ રોગ અટકાયતી કામગીરી સઘન કરવામાં આવી રહી છે.
આરોગ્‍ય અધિકારી, ડૉ. સુલતાનના જણાવ્‍યા મુજબ વરસાદની સીઝન પહેલાતાયારીના ભાગરૂપે આરોગ્‍ય સ્‍ટાફને ડેંગ્‍યૂ ઉપદ્રવ ન થાય અને વહેલી ઓળખ અને નિદાન માટે હૉસ્‍પિટલ સ્‍ટાફને જાગૃત કરવામાં આવ્‍યા જે ઘરે ઘરે જઈ લોકોમાં જાગૃતી ફેલાવે અને જો લક્ષનો જણાઈ તો, SC, PHC, CHC, GHD માં સારવાર ઉપલબ્‍ધ છે.

Related posts

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment