January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસના અનુસંધાને 16 મે 2024 ના રોજ દીવ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ, દીવ દ્વારા સી. એચ. સી. ઘોઘલા ખાતે આરોગ્‍ય કર્મચારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં આરોગ્‍ય વિભાગના CHO, ANM/ BHW, અને આરોગ્‍ય/ મલેરિયાના કર્મચારીઓને ડેન્‍ગ્‍યુ રોકધામ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ડેન્‍ગ્‍યુ નાથવા માટે વિવિધ કાર્યો કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે જઈ મચછરજન્‍ય રોગ વિશે સમજણ, તાવ જેવા લક્ષણ નો રીપોર્ટ માટે લોહી લેવું, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી ચોમાસાની ઋતુમાં શરૂઆતથી જ રોગ અટકાયતી કામગીરી સઘન કરવામાં આવી રહી છે.
આરોગ્‍ય અધિકારી, ડૉ. સુલતાનના જણાવ્‍યા મુજબ વરસાદની સીઝન પહેલાતાયારીના ભાગરૂપે આરોગ્‍ય સ્‍ટાફને ડેંગ્‍યૂ ઉપદ્રવ ન થાય અને વહેલી ઓળખ અને નિદાન માટે હૉસ્‍પિટલ સ્‍ટાફને જાગૃત કરવામાં આવ્‍યા જે ઘરે ઘરે જઈ લોકોમાં જાગૃતી ફેલાવે અને જો લક્ષનો જણાઈ તો, SC, PHC, CHC, GHD માં સારવાર ઉપલબ્‍ધ છે.

Related posts

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment