January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્‍થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે

ઝાડના છાંયડો તેમનું એકમાત્ર આશ્રય સ્‍થાન બની રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: છેલ્લા સપ્તાહથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગરમીનો પારો ખુબ વધી રહ્યો છે. કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે ત્‍યારે માનવ જાતનો વૈકલ્‍પિક ભૌતિક સુવિધાઓથી ગરમીનો સામનો કરી રહેલ છે પરંતુ અબોલ જીવો મુક પ્રાણીઓ બપોરે જ્‍યાં ઝાડનો છાંયડો મળે ત્‍યાં બેસી ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે.
ગ્‍લોબલ વોર્મિંગને લઈ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વૃક્ષો ઘટી રહ્યા છે તેથી ગરમીનું પ્રમાણ વધ્‍યુ છે. ગરમીને નાથવા માટે વૃક્ષો વાવવા, સાચવવા અને જતન કરવા જરૂરી છે. ગરમીના દિવસોમાં પશુ-પંખીઓને પાણીની જરૂરીયાત ઉભી થાય છે ત્‍યારે રખડતા જાનવરો, કુતરાઓ માટે ઘર આંગણે સોસાયટીઓમાં પાણીની ટાંકીઓ ભરી રાખવી જરૂરી છે. પંખીઓ માટે કુડાઓમાં બાલ્‍કની કે યોગ્‍ય સ્‍થળે પાણી ભરવાની જરૂરીયાત છે. અબોલ જીવોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. માનવી તો ગરમીમાં એ.સી., પંખા, ઘરની શીતળછાંયમાં આશરો મેળવી ગરમીનો સામનો કરે છે પણ અબોલ જીવોની સાર-સંભાળ રાખવી આપણી ફરજ બને છે.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment