September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના દિશા-નિર્દેશ મુજબ દમણ અને દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગ, દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કેન્‍દ્રશાસિત પ્રદેશમાં રમત ગમત સંસ્‍કૃતિના વિકાસ માટે યુવા કાર્યક્રમ અને રમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ અને યુવા કાર્યક્રમ અને રમત વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી ગત તા.28મી ઓક્‍ટોબર,2022 થી 06 નવેમ્‍બર, 2022 દરમિયાન દમણ જિલ્લાની શાળાના ખેલાડીઓ માટે શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું આયોજન બપોરના 3:30 કલાકથી સાંજે 5.30 દરમિયાન કરવામાં આવ્‍યું હતું. આ શિયાળુ રમત-ગમત કોચિંગ શિબિરમાં ખેલાડીઓને ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ખો ખો, ટેબલ ટેનિસ, ટેનિસ, બોક્‍સિંગ, વોલીબોલ, હેન્‍ડબોલ જેવી 9 જેટલી રમતોમાં પ્રશિક્ષિત સ્‍પોર્ટ્‍સ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન વતી ખેલાડીઓ માટે ઉનાળુ રમત ગમત કોચિંગ શિબિરની જેમ પ્રથમ વખત શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
આજે 06 નવેમ્‍બર, 2022ના રોજ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજના આ સમાપન કાર્યક્રમમાં મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવારે પોતાના વક્‍તવ્‍યમાં તમામ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે આપણે જીવનભર રમત ગમત સાથે જોડાયેલા રહેવું જોઈએ અને રમત ગમતની ખેલદિલીને જાળવી રાખવી જોઈએ. રમત ગમતથી શરીર અને મન તંદુરસ્‍ત રહે છે. આપણા જીવનમાં રમત ગમતનું વધુ મહત્‍વ છે. તેમણે રમત ગમતમાં સફળતામેળવવા માટે સતત પ્રયાસરત રહેવાના મહત્‍વ પર પણ પ્રકાશ ફેંક્‍યો હતો.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં 550 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીઓએ પોતાની મંત્રમુગ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં તેઓને રમતની નવી ટેક્‍નીક શીખવવામાં આવી હતી અને રમત માટે મહત્‍વપૂર્ણ સ્‍પોર્ટ્‍સ ફૂડ પણ આપવામાં આવ્‍યું હતું, તેવી જ રીતે ખેલાડીઓના વાલીઓએ પણ પોતાના મંતવ્‍યો રજૂ કર્યા હતા. સંઘપ્રદેશ દમણના યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગે ખૂબ જ સારી પહેલ કરીને આ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને પરિણામે દમણમાં રમત ગમતનું વાતાવરણ સર્જાયું છે.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરને સફળ બનાવવા મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમત ગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, તથા રમત ગમતના કોચ અને વિભાગના સ્‍ટાફે પોતાનું મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment