(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૭: અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ વલસાડ દ્વારા મોટા પારસીવાડ, વલસાડ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૧થી તા.૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન દરરોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું રસપાન પરમ પૂજ્ય શ્રી રમાકાંત શાસ્ત્રીજીની કોમલવાણીથી કરાશે. આ કથાનો ભાવિક ભક્તોને લાભ લેવા અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ, વલસાડના મહિલા અગ્રણી સીમા રાજેશ અગ્રવાલ, સીમા પ્રમોદ અગ્રવાલ દ્વારા અનુરોધ કરાયો છે.