March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્‍તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસીય પ્રવાસ માટે પધારેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે સેલવાસ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સામાજિક ન્‍યાય પત્રિકાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે અનુ.જાતિ અને જનજાતિના સમુદાય માટે આ પ્રકારની ઉપયોગી પુસ્‍તિકા બનાવવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ પ્રકારના સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યોથી સમાજમાં એક સકારાત્‍મક સંદેશ જાય છે. તેમણે કાર્યકર્તાઓને મજબૂત સંગઠન બનાવવાની ચાવી પણ બતાવી હતી. તેમણે અગામી 2024ની લોકસભા ચૂંટણી માટે અત્‍યારથી જ જોડાવા આહ્‌વાન કર્યું હતું.
સામાજિક ન્‍યાય પત્રિકા પ્રદેશના યુવા મોર્ચા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ અને તેનો લાભ કેવી રીતે લેવો તેનું વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી મીમનિષ દેસાઈ, શ્રી મહેશ ગાંવિત, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિન પટેલ, પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ શ્રી વિશાલ પટેલ વગેરેની ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment