(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ ખાતે કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પર પાંચ દિવસીય પ્રમાણપત્ર કોર્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોર્સ હાઇબ્રિડ મોડમાં ઓફર કરવામાં આવે છે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાંથી પણ રસ ધરાવતા વ્યક્તિ ઓનલાઇન જોડાઈને આ કોર્સનો લાભ લઈ શકે.
આ અવસરે કોર્સ કો-ઓર્ડિનેટર ડૉ.ગીતાંજલિ ચૌહાણે જણાવ્યું હતું કે, કાયદો અને અર્થશાષા પરસ્પર સંકળાયેલા છે અને એક બીજાને પ્રભાવિત કરે છે. કાયદાના વિદ્યાર્થીઓ માટે અર્થશાષાનો અભ્યાસ જરૂરી છે, કારણ કે અર્થશાષા કાયદાના ઘણા ક્ષેત્રો જેમ કે કરવેરા, વિદેશી વેપાર, કંપની કાયદો, બેંકિંગ, વીમો, મજૂર કાયદો અને ફોજદારી કાયદાને પણ પ્રભાવિત કરે છે. અર્થશાષાના આર્થિક વિશ્લેષણ સાધનો બજારની કાર્યક્ષમતા, સંસાધન ફાળવણી અને આર્થિક એજન્ટોના વર્તન પરના વિવિધ કાયદાઓની અસરને સમજવામાં મદદ કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, 1991માં રોનાલ્ડ કોઝને અને 1992માં ગેરી બેકરને એમ સતત બે વર્ષ અર્થશાષામાંનોબેલ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, તે સાથે કાયદા પ્રત્યેના આર્થિક અભિગમની માન્યતા તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. આ વિદ્વાનોએ કાયદાના આર્થિક વિશ્લેષણના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે.
કાયદા, વાણિજ્ય, સાહિત્ય, આર્કિટેક્ચર અને ડિઝાઇનના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સહિત વિવિધ પૃષ્ટભૂમિકા ધરાવતા સહભાગીઓ આ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે. આ વિવિધતા શિક્ષણના અનુભવને સમૃદ્ધ બનાવશે તેમ જ કાયદા અને અર્થશાષાના આંતરછેદ પર બહુશિસ્ત પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે.