December 6, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૨
દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સમસ્ત જનતા વતી બિસ્માર રસ્તાઓ બનાવવા અને રીપેરીંગ કરાવવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘ અને પી.ડબલ્યુ.ડી.ના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરને લેખિત રજૂઆત કરી છે.
જેમા જણાવ્યું છે કે, પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણીમા દાનહ પ્રદેશના રસ્તાઓ સારા હતા. પરંતુ આ વર્ષે ખુબજ બિસમાર બન્યા છે. મોટા પ્રમાણમાં રસ્તાઓ ખરાબ બની જતા લોકો પરેશાન થઈ રહ્ના છે અનેક જગ્યાઍ મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્ના છે.
દાદરા ચેકપોસ્ટથી ખાનવેલ સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયેલ હોવા છતાં ખૂબજ જર્જરિત થઈ ગયો છે. આ રોડ સેન્ટર હોવાને કારણે ૭૦ થી ૮૦ ટકા લોકો ઍનો ઉપયોગ કરે છે. બહારથી આવતા મોટાભાગના પર્યટકો પણ આજ માર્ગે આવતા હોય છે.
ચોમાસા અગાઉ રસ્તાઓની હાલતને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂની તૈયારી રૂપે પણ રસ્તાઓ રીપેરીંગ માટેની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન પણ વેટમીક્ષ નાંખી રોલર ફેરવી આસાનીથી વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ ઍના ઉપર કોઈ ધ્યાન આપવામા ન આવ્યું. રોજબરોજ નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ ઉપર થઈ રહ્ના છે. દાદરા નગર હવેલી સીધું કેન્દ્ર સરકારને આધીન હોવાને કારણે ફંડની કમી હોય તેવુ લાગતું નથી. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને જે રસ્તાઓ અતિશય બિસમાર બન્યાં છે તેને જલ્દીથી રીપેરીંગ કરવામા આવે કે જેથી લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને રાહત મળી શકે.

Related posts

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

vartmanpravah

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment