January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૨
દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સમસ્ત જનતા વતી બિસ્માર રસ્તાઓ બનાવવા અને રીપેરીંગ કરાવવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘ અને પી.ડબલ્યુ.ડી.ના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરને લેખિત રજૂઆત કરી છે.
જેમા જણાવ્યું છે કે, પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણીમા દાનહ પ્રદેશના રસ્તાઓ સારા હતા. પરંતુ આ વર્ષે ખુબજ બિસમાર બન્યા છે. મોટા પ્રમાણમાં રસ્તાઓ ખરાબ બની જતા લોકો પરેશાન થઈ રહ્ના છે અનેક જગ્યાઍ મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્ના છે.
દાદરા ચેકપોસ્ટથી ખાનવેલ સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયેલ હોવા છતાં ખૂબજ જર્જરિત થઈ ગયો છે. આ રોડ સેન્ટર હોવાને કારણે ૭૦ થી ૮૦ ટકા લોકો ઍનો ઉપયોગ કરે છે. બહારથી આવતા મોટાભાગના પર્યટકો પણ આજ માર્ગે આવતા હોય છે.
ચોમાસા અગાઉ રસ્તાઓની હાલતને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂની તૈયારી રૂપે પણ રસ્તાઓ રીપેરીંગ માટેની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન પણ વેટમીક્ષ નાંખી રોલર ફેરવી આસાનીથી વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ ઍના ઉપર કોઈ ધ્યાન આપવામા ન આવ્યું. રોજબરોજ નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ ઉપર થઈ રહ્ના છે. દાદરા નગર હવેલી સીધું કેન્દ્ર સરકારને આધીન હોવાને કારણે ફંડની કમી હોય તેવુ લાગતું નથી. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને જે રસ્તાઓ અતિશય બિસમાર બન્યાં છે તેને જલ્દીથી રીપેરીંગ કરવામા આવે કે જેથી લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને રાહત મળી શકે.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

વલસાડના નનકવાડા ખાતેની શાળામાં આયોજીત સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોડીપાડા અને માંડા શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment