October 14, 2025
Vartman Pravah
દમણસેલવાસ

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ-સેલવાસ, તા.15
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ એકપણ વ્‍યક્‍તિને આજરોજ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં હાલમાં કુલ 06 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 3479 દર્દીઓ કોરોનામુક્‍ત થઈ ચુકયા છે, જ્‍યારે ફક્‍ત 1 વ્‍યક્‍તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે દમણમાં 363 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એક વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો. દમણમાં આજરોજ એકપણ નવો કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયો નથી. હાલમાં દમણમાં કુલ 0ર કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર છે જેમાં દાભેલ-01, ભીમપોરમાં 01 વિસ્‍તાર જાહેર છે.
દાદરા નગરહવેલીમાં પણ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 15 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5844 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 284 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.અને રેપિડ એન્‍ટિજન 475 નમૂના લેવામા આવ્‍યા હતા તેમા પણ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા આજે દાનહમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 5283 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે પ્રદેશમા કુલ 3,06,816 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment