Vartman Pravah
દમણસેલવાસ

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ-સેલવાસ, તા.15
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ એકપણ વ્‍યક્‍તિને આજરોજ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં હાલમાં કુલ 06 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 3479 દર્દીઓ કોરોનામુક્‍ત થઈ ચુકયા છે, જ્‍યારે ફક્‍ત 1 વ્‍યક્‍તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે દમણમાં 363 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એક વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો. દમણમાં આજરોજ એકપણ નવો કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયો નથી. હાલમાં દમણમાં કુલ 0ર કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર છે જેમાં દાભેલ-01, ભીમપોરમાં 01 વિસ્‍તાર જાહેર છે.
દાદરા નગરહવેલીમાં પણ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 15 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5844 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 284 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.અને રેપિડ એન્‍ટિજન 475 નમૂના લેવામા આવ્‍યા હતા તેમા પણ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા આજે દાનહમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 5283 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે પ્રદેશમા કુલ 3,06,816 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરના અધ્‍યક્ષસ્‍થાને દાનહ જિલ્લા વિકાસ સમન્‍વય અને દેખરેખ (દિશા) સમિતિની મળેલી બેઠકઃ વિકાસના વિવિધ મુદ્દાની કરાયેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment