Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞના સમાપન ટાણે 22મી માર્ચના રાત્રિએ ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા 14મી માર્ચ, 2023ના રોજ બપોરે 1:30 કલાકે યોજવામાં આવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 કલાક રહેશે. બુધવાર તા.22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:00 થી 5:00 કલાક દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પનુંપણ આયોજન કરવામાં આવેલ હોવાની જાણકારી આપવામાં આવી છે.
22મી માર્ચ, 2023ના રોજ રાત્રે 8:00 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

Leave a Comment