October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞના સમાપન ટાણે 22મી માર્ચના રાત્રિએ ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા 14મી માર્ચ, 2023ના રોજ બપોરે 1:30 કલાકે યોજવામાં આવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 કલાક રહેશે. બુધવાર તા.22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:00 થી 5:00 કલાક દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પનુંપણ આયોજન કરવામાં આવેલ હોવાની જાણકારી આપવામાં આવી છે.
22મી માર્ચ, 2023ના રોજ રાત્રે 8:00 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ટેન્‍ટ સીટી, સાઉદવાડી સ્‍કૂલ, સિવરેજવર્ક સાઈટ વગેરે સ્‍થળોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

Leave a Comment