March 2, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

સ્‍થાનિક લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવો કરી અપશબ્‍દો બોલી તમાચો મારવાનો પોલીસ ઉપર મુકેલો આરોપ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.1પ
સંઘપ્રદેશ પ્રશાસનની કોરોના માર્ગદર્શિકા અનુસાર ઘોઘલા પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા રાત્રે 10.30 વાગ્‍યે ઘોઘલા સરાનગર વિસ્‍તારમાં લગ્ન પ્રસંગમાં વાગી રહેલો ડીજેબંધ કરાવતી વખતે પોલીસ અને જનતા વચ્‍ચે તુ…તુ.. મે..મે.. થઈ ગઈ હતી. ત્‍યારબાદ સ્‍થાનિકો ઘોઘલા પોલીસ ચોકી ખાતે પહોંચી, પોલીસ ચોકીનો ઘેરાવો કરી, પોલીસ ઉપર અપશબ્‍દો બોલવા અને તમાચા મારવાના આરોપ ગલાવ્‍યો હતો.
આ બાબતની જાણકારી થતા પી.આઈ. શ્રી પંકજ ટંડેલ ઘટના સ્‍થળે પહોંચી અને સ્‍થાનિક લોકોને સમજાવી પરત પોતાના ઘરે મોકલી મામલો થાળે પાડયો હતો. બીજી તરફ ઈન્‍સિડેન્‍ટ કમાન્‍ડર નિતિન ગજવાનીની લેખિત ફરિયાદના આધારે આયોજક બિપીન મણીલાલ સોલંકી ઉપર ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

Leave a Comment