પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણના સ્વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે 18થી 24 ઓગસ્ટ દરમિયાન આયોજીત શિવશક્તિ મહાયજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ધર્મપત્ની સાથે લાભ લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા દર વર્ષે અલગ અલગ જ્યોતિર્લીંગ ખાતે જઈ છેલ્લા 9 વર્ષથી શિવશક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શિવશક્તિ મહાયજ્ઞમાં ભાગ લઈ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.