Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના ઉત્‍થાન માટે કરેલા કામોને સરપંચ મુકેશ ગોસાવીએ યાદ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા યુગપુરૂષ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્‍થાન માટે કરેલા કામોને યાદ કર્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરે બતાવેલા રસ્‍તા ઉપર ચાલવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગેપંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાની, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ સહિત ગ્રામજનો અને સ્‍ટાફની ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

દમણમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરી પીધેલી હાલતમાં ઘરે પરત ફરવાની હવે ચિંતા ટળી દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં પીયક્કડો માટે રહેવાની કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

Leave a Comment