March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલીની દરેક આંબેડકર સામાજિક સંગઠન દ્વારા કલેક્‍ટરને રાજસ્‍થાન ઝાલોરની શાળાના શિક્ષક દ્વારા નવ વર્ષના દલિત વિદ્યાર્થીને માર મારતા ત્‍યારબાદ એ વિદ્યાર્થીનું મોત થતાં આ ઘટનાના વિરોધમાં દાનહના દરેક સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું અને હત્‍યાના આરોપી શિક્ષકને કડકમાં કડક સજા કરવા માંગ કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનના ઝાલોર જિલ્લાની સરસ્‍વતી વિદ્યા મંદિર શાળામાં એક માસુમ બાળક મોતનો શિકાર થયેલ છે. ગત 20 જુલાઈના રોજ 9 વર્ષનો ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી ઈન્‍દ્ર મેઘવાલે શાળાના હેડમાસ્‍તરના હેડમાસ્‍તર છૈલસિંહ રાજપૂત સમાજનાહોય જેણે બાળક ઈન્‍દ્ર મેઘવાલને તરસ લાગતા એણે હેડ માસ્‍તરની કેબિનમાં રાખવામાં આવેલ માટલામાંથી પાણી પીધું હતું. જેને હેડમાસ્‍તર છૈલસિંહે જોઈ લેતા છોકરાને સખત માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાળકને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરેલ જ્‍યાં તેનું 13 ઓગસ્‍ટના રોજ સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટનામાં માંગ કરીએ છીએ કે ઈન્‍દ્ર મેઘવાલના હત્‍યારા છૈલસિંહને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્‍દીથી જલ્‍દી ફાંસીની સજા આપવામાં આવે અને ઈન્‍દ્રના પરિવારને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
આ અવસરે લુંબિની બુદ્ધવિહાર ફાઉન્‍ડેશન, સંવિધાન ગૌરવ સમિતિ, ડો. બાબા સાહેબ આંબેડકર સેવા સંગઠન, સમ્રાટ યુવા મંચના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment