April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલીની દરેક આંબેડકર સામાજિક સંગઠન દ્વારા કલેક્‍ટરને રાજસ્‍થાન ઝાલોરની શાળાના શિક્ષક દ્વારા નવ વર્ષના દલિત વિદ્યાર્થીને માર મારતા ત્‍યારબાદ એ વિદ્યાર્થીનું મોત થતાં આ ઘટનાના વિરોધમાં દાનહના દરેક સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું અને હત્‍યાના આરોપી શિક્ષકને કડકમાં કડક સજા કરવા માંગ કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનના ઝાલોર જિલ્લાની સરસ્‍વતી વિદ્યા મંદિર શાળામાં એક માસુમ બાળક મોતનો શિકાર થયેલ છે. ગત 20 જુલાઈના રોજ 9 વર્ષનો ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી ઈન્‍દ્ર મેઘવાલે શાળાના હેડમાસ્‍તરના હેડમાસ્‍તર છૈલસિંહ રાજપૂત સમાજનાહોય જેણે બાળક ઈન્‍દ્ર મેઘવાલને તરસ લાગતા એણે હેડ માસ્‍તરની કેબિનમાં રાખવામાં આવેલ માટલામાંથી પાણી પીધું હતું. જેને હેડમાસ્‍તર છૈલસિંહે જોઈ લેતા છોકરાને સખત માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાળકને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરેલ જ્‍યાં તેનું 13 ઓગસ્‍ટના રોજ સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટનામાં માંગ કરીએ છીએ કે ઈન્‍દ્ર મેઘવાલના હત્‍યારા છૈલસિંહને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્‍દીથી જલ્‍દી ફાંસીની સજા આપવામાં આવે અને ઈન્‍દ્રના પરિવારને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
આ અવસરે લુંબિની બુદ્ધવિહાર ફાઉન્‍ડેશન, સંવિધાન ગૌરવ સમિતિ, ડો. બાબા સાહેબ આંબેડકર સેવા સંગઠન, સમ્રાટ યુવા મંચના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

Leave a Comment