April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: 7મી જુલાઈ 2024 અષાઢી બીજ એટલે જગન્નાથ યાત્રાનો દિવસ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્રના આરંભે જ લોકસભામાં વિરોધ પક્ષનાનેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ ખાતે થયેલા છમકલાને લઈ આગામી સાતમી જુલાઈ 2024 ના રોજ આવી રહેલ અષાઢી બીજના દિવસે જગન્નાથ યાત્રાને લઈ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઇ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવીની સૂચના મુજબ ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈની અધ્‍યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
જોકે પારડી ખાતે જગન્નાથ યાત્રાની પરવાનગી પારડી પોલીસ દ્વારા આપવામાં આવતી નથી અને પારડીમાં જગન્નાથ યાત્રાનું આયોજન થતું નથી આમ છતાં મોટા મેટ્રો અમદાવાદ જેવા શહેરોમાં આ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય ત્‍યાં બનેલ કોઈ અનિચ્‍છનીય બનાવના પડઘા અહીં ન પડે અને અહીં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને કોમી એકતા ન ડહોળાઈ જેને લઈ પારડી પોલીસ દ્વારા સાવચેતીના પગલાના ભાગ રૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ, પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, વીએચપીના અમિત પટેલ, રાજન ભટ્ટ, જીતુ ઓઝા, પ્રેમલસિંહ ચૌહાણ, મુસ્‍લિમ બિરાદરોમાં અનવરભાઈ એ. મનીયાર, આઈ. એમ. સૈયદ, સલીમ ગુલામ અલી ખલીફા, શબ્‍બીર અહમદ કુરેશી સહિતનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

Leave a Comment