August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: 7મી જુલાઈ 2024 અષાઢી બીજ એટલે જગન્નાથ યાત્રાનો દિવસ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્રના આરંભે જ લોકસભામાં વિરોધ પક્ષનાનેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ ખાતે થયેલા છમકલાને લઈ આગામી સાતમી જુલાઈ 2024 ના રોજ આવી રહેલ અષાઢી બીજના દિવસે જગન્નાથ યાત્રાને લઈ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઇ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવીની સૂચના મુજબ ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈની અધ્‍યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
જોકે પારડી ખાતે જગન્નાથ યાત્રાની પરવાનગી પારડી પોલીસ દ્વારા આપવામાં આવતી નથી અને પારડીમાં જગન્નાથ યાત્રાનું આયોજન થતું નથી આમ છતાં મોટા મેટ્રો અમદાવાદ જેવા શહેરોમાં આ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય ત્‍યાં બનેલ કોઈ અનિચ્‍છનીય બનાવના પડઘા અહીં ન પડે અને અહીં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને કોમી એકતા ન ડહોળાઈ જેને લઈ પારડી પોલીસ દ્વારા સાવચેતીના પગલાના ભાગ રૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ, પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, વીએચપીના અમિત પટેલ, રાજન ભટ્ટ, જીતુ ઓઝા, પ્રેમલસિંહ ચૌહાણ, મુસ્‍લિમ બિરાદરોમાં અનવરભાઈ એ. મનીયાર, આઈ. એમ. સૈયદ, સલીમ ગુલામ અલી ખલીફા, શબ્‍બીર અહમદ કુરેશી સહિતનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment