October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: 7મી જુલાઈ 2024 અષાઢી બીજ એટલે જગન્નાથ યાત્રાનો દિવસ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્રના આરંભે જ લોકસભામાં વિરોધ પક્ષનાનેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ ખાતે થયેલા છમકલાને લઈ આગામી સાતમી જુલાઈ 2024 ના રોજ આવી રહેલ અષાઢી બીજના દિવસે જગન્નાથ યાત્રાને લઈ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઇ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવીની સૂચના મુજબ ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈની અધ્‍યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
જોકે પારડી ખાતે જગન્નાથ યાત્રાની પરવાનગી પારડી પોલીસ દ્વારા આપવામાં આવતી નથી અને પારડીમાં જગન્નાથ યાત્રાનું આયોજન થતું નથી આમ છતાં મોટા મેટ્રો અમદાવાદ જેવા શહેરોમાં આ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય ત્‍યાં બનેલ કોઈ અનિચ્‍છનીય બનાવના પડઘા અહીં ન પડે અને અહીં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને કોમી એકતા ન ડહોળાઈ જેને લઈ પારડી પોલીસ દ્વારા સાવચેતીના પગલાના ભાગ રૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ, પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, વીએચપીના અમિત પટેલ, રાજન ભટ્ટ, જીતુ ઓઝા, પ્રેમલસિંહ ચૌહાણ, મુસ્‍લિમ બિરાદરોમાં અનવરભાઈ એ. મનીયાર, આઈ. એમ. સૈયદ, સલીમ ગુલામ અલી ખલીફા, શબ્‍બીર અહમદ કુરેશી સહિતનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

વાપી ન્‍યાયાલય પરિસરમાં કેન્‍ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment