Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: પદ્મશ્રી ગફુરચાચા કે જેમણે 88 વર્ષ પુરા કરી 89મા વર્ષમાં પ્રવેશ કરે છે. એઓ સિસિકાનાં માનદ સલાહકાર છે. સિસિકાનાં પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા પદ્મશ્રી ગફુરચાચાનો જન્‍મ દિવસ ઉજવવા માટે સિસિકાનાં હોલમાં સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.
એમની નિઃસ્‍વાર્થ અને અવિરત સમાજ સેવા તથા ઉદ્યોગ ક્ષેત્રમાં વિશિષ્‍ટ કામગીરી માટે એમનેસંવત 2020માં ભારતનાં તે વખતનાં રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં વરદ હસ્‍તે પદમશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં સન્‍માનિત ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ અન્‍ય કંપની, સંસ્‍થામાં ટ્રસ્‍ટી છે. સિસિકામાં માનદ સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
સંવત 2006માં એમનાં પરિવાર દ્વારા માં ફાઉન્‍ડેશન નામની સંસ્‍થા સ્‍થાપવામાં આવી છે. જેનો મુખ્‍ય ઉદ્‌ેશ શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા અને આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓને આગળ અભ્‍યાસ કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીવાદી વલસાડનાં શ્રી નટુભાઈ દેસાઈ, ડો.મિનાક્ષીબેન શેઠ, બ્રહ્મકુમારી રશ્‍મિબેન, દાનવીર શ્રી પ્રદિપભાઈ દેસાઈનાં ધર્મપત્‍ની રેખાબેન અને સુમિટો કેમિકલ વાપીનાં વાઈસ ચેરમેન શ્રી પ્રકાશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.
સિસિકાનાં પ્રમુખ અને કારોબારીનાં સભ્‍યો તથા આમંત્રિત મહેમાનોની વચમાં પદ્મશ્રી ગફુરચાચા દ્વારા કેક કાપી, શાલ ઓઢાવી, પુષ્‍પગુચ્‍છ આપી એમનો જન્‍મ દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. સિસિકાનાં સભ્‍યો દ્વારા એમનું આયુષ્‍ય લાંબુ રહે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહે, ખુબ સમાજ સેવાનું કાર્ય કરે એવાં આશીર્વાદ આપવામાં આવ્‍યા હતા. પદ્મશ્રી ગફુરચાચા દ્વારા મિટિંગમાં અંતે સ્‍વરૂચિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

Leave a Comment