October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: પદ્મશ્રી ગફુરચાચા કે જેમણે 88 વર્ષ પુરા કરી 89મા વર્ષમાં પ્રવેશ કરે છે. એઓ સિસિકાનાં માનદ સલાહકાર છે. સિસિકાનાં પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા પદ્મશ્રી ગફુરચાચાનો જન્‍મ દિવસ ઉજવવા માટે સિસિકાનાં હોલમાં સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.
એમની નિઃસ્‍વાર્થ અને અવિરત સમાજ સેવા તથા ઉદ્યોગ ક્ષેત્રમાં વિશિષ્‍ટ કામગીરી માટે એમનેસંવત 2020માં ભારતનાં તે વખતનાં રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં વરદ હસ્‍તે પદમશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં સન્‍માનિત ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ અન્‍ય કંપની, સંસ્‍થામાં ટ્રસ્‍ટી છે. સિસિકામાં માનદ સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
સંવત 2006માં એમનાં પરિવાર દ્વારા માં ફાઉન્‍ડેશન નામની સંસ્‍થા સ્‍થાપવામાં આવી છે. જેનો મુખ્‍ય ઉદ્‌ેશ શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા અને આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓને આગળ અભ્‍યાસ કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીવાદી વલસાડનાં શ્રી નટુભાઈ દેસાઈ, ડો.મિનાક્ષીબેન શેઠ, બ્રહ્મકુમારી રશ્‍મિબેન, દાનવીર શ્રી પ્રદિપભાઈ દેસાઈનાં ધર્મપત્‍ની રેખાબેન અને સુમિટો કેમિકલ વાપીનાં વાઈસ ચેરમેન શ્રી પ્રકાશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.
સિસિકાનાં પ્રમુખ અને કારોબારીનાં સભ્‍યો તથા આમંત્રિત મહેમાનોની વચમાં પદ્મશ્રી ગફુરચાચા દ્વારા કેક કાપી, શાલ ઓઢાવી, પુષ્‍પગુચ્‍છ આપી એમનો જન્‍મ દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. સિસિકાનાં સભ્‍યો દ્વારા એમનું આયુષ્‍ય લાંબુ રહે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહે, ખુબ સમાજ સેવાનું કાર્ય કરે એવાં આશીર્વાદ આપવામાં આવ્‍યા હતા. પદ્મશ્રી ગફુરચાચા દ્વારા મિટિંગમાં અંતે સ્‍વરૂચિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

સંઘપ્રદેશના કાયદા અને ન્‍યાય વિભાગ દ્વારા ફોજદારી બાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓના સંદર્ભમાં યોજાઈ પ્રથમ સફળ કાર્યશાળા

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

vartmanpravah

Leave a Comment