February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્‍સવનો પ્રારંભ થવા પૂર્વ વાપી વિભાગ પોલીસે રાજસ્‍થાન ભવનમાં ગણેશ આયોજકોની મિટિંગ યોજી હતી. મિટિંગમાં કાયદો વ્‍યવસ્‍થા, ગણેશ મંડળ નોંધણી તથા મૂર્તિ ઊંચાઈ અને વિસર્જન અંગે પોલીસે સવિસ્‍તાર માર્ગદર્શન ગણેશ આયોજકોને આપ્‍યું હતું.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભમાં યોજાયેલ મિટિંગમાં વાપી નાયબ પોલીસ વડા બી.એન. દવે, ટાઉન પી.આઈ કે.જી. રાઠોડ, જી.આઈ.ડી.સી. પી.આઈ. મયુર પટેલ તથા ડુંગરા પી.આઈ. કે.જી. રાઠોડની ઉપસ્‍થિતિમાં પોલીસે ગણેશ મહોત્‍સવ અંગે કાયદા વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ જોગઉપસ્‍થિત 350 ગણેશ મહોત્‍સવ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. પોલીસે ટ્રાફિક જેવા પ્રશ્નો માટે જાહેર અપીલ કરી હતી કે વાપી ટાઉનની શ્રીજીની મૂર્તિઓ દમણ દરિયામાં અને જીઆઈડીસી ડુંગરા વિસ્‍તારની શ્રીજીની મૂર્તિઓ દમણગંગા નદીમાં વિસર્જન કરવાની અપીલ કરી હતી. તદ્દઉપરાંત ડી.જે. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોવી જોઈએ તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah

દાનહ જિલ્લાની શાળાઓમાં યોજાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

Leave a Comment