October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્‍સવનો પ્રારંભ થવા પૂર્વ વાપી વિભાગ પોલીસે રાજસ્‍થાન ભવનમાં ગણેશ આયોજકોની મિટિંગ યોજી હતી. મિટિંગમાં કાયદો વ્‍યવસ્‍થા, ગણેશ મંડળ નોંધણી તથા મૂર્તિ ઊંચાઈ અને વિસર્જન અંગે પોલીસે સવિસ્‍તાર માર્ગદર્શન ગણેશ આયોજકોને આપ્‍યું હતું.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભમાં યોજાયેલ મિટિંગમાં વાપી નાયબ પોલીસ વડા બી.એન. દવે, ટાઉન પી.આઈ કે.જી. રાઠોડ, જી.આઈ.ડી.સી. પી.આઈ. મયુર પટેલ તથા ડુંગરા પી.આઈ. કે.જી. રાઠોડની ઉપસ્‍થિતિમાં પોલીસે ગણેશ મહોત્‍સવ અંગે કાયદા વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ જોગઉપસ્‍થિત 350 ગણેશ મહોત્‍સવ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. પોલીસે ટ્રાફિક જેવા પ્રશ્નો માટે જાહેર અપીલ કરી હતી કે વાપી ટાઉનની શ્રીજીની મૂર્તિઓ દમણ દરિયામાં અને જીઆઈડીસી ડુંગરા વિસ્‍તારની શ્રીજીની મૂર્તિઓ દમણગંગા નદીમાં વિસર્જન કરવાની અપીલ કરી હતી. તદ્દઉપરાંત ડી.જે. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોવી જોઈએ તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment