October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્‍સવનો પ્રારંભ થવા પૂર્વ વાપી વિભાગ પોલીસે રાજસ્‍થાન ભવનમાં ગણેશ આયોજકોની મિટિંગ યોજી હતી. મિટિંગમાં કાયદો વ્‍યવસ્‍થા, ગણેશ મંડળ નોંધણી તથા મૂર્તિ ઊંચાઈ અને વિસર્જન અંગે પોલીસે સવિસ્‍તાર માર્ગદર્શન ગણેશ આયોજકોને આપ્‍યું હતું.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભમાં યોજાયેલ મિટિંગમાં વાપી નાયબ પોલીસ વડા બી.એન. દવે, ટાઉન પી.આઈ કે.જી. રાઠોડ, જી.આઈ.ડી.સી. પી.આઈ. મયુર પટેલ તથા ડુંગરા પી.આઈ. કે.જી. રાઠોડની ઉપસ્‍થિતિમાં પોલીસે ગણેશ મહોત્‍સવ અંગે કાયદા વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ જોગઉપસ્‍થિત 350 ગણેશ મહોત્‍સવ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. પોલીસે ટ્રાફિક જેવા પ્રશ્નો માટે જાહેર અપીલ કરી હતી કે વાપી ટાઉનની શ્રીજીની મૂર્તિઓ દમણ દરિયામાં અને જીઆઈડીસી ડુંગરા વિસ્‍તારની શ્રીજીની મૂર્તિઓ દમણગંગા નદીમાં વિસર્જન કરવાની અપીલ કરી હતી. તદ્દઉપરાંત ડી.જે. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોવી જોઈએ તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah

Leave a Comment