Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

સસ્‍પેન્‍ડેડ લેન્‍ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારી પોલીસ પહોંચથી બહાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 19: સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની આજે ભ્રષ્‍ટાચાર, ગેરરીતિ અને નીતિ-નિયમો વિરૂદ્ધ કરેલા કામોની તપાસ માટે સેલવાસ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સાંપડી છે. ટી.એસ.શર્મા સામે પોતાની જ્ઞાત આવક કરતા વધુ સંપત્તિના મુદ્દે પણ સઘન તપાસ થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે.
ખાનવેલના પૂર્વ મામલતદાર અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી હાલમાં પોલીસ અટકથી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વહીવટમાં ભ્રષ્‍ટાચાર સામે અપનાવેલી ‘નો ટોલરન્‍સ’ નીતિના કારણે સેલવાસના તત્‍કાલિન મામલતદાર ટી.એસ.શર્માએ ખાસ લોકોને લાભ અપાવવા માટે સરકારી જમીનો સાથે ચેડાં કર્યા હતા અને ખોટા સરકારી દસ્‍તાવેજો પણ ઉભા કરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. લેન્‍ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારીની પણ મિલીભગત હોવાનું સમજાય છે.
સેલવાસપોલીસે આ લખાઈ રહ્યું છે ત્‍યાં સુધી સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની ધરપકડની પુષ્‍ટિ કરી નથી. પરંતુ તેને પૂછપરછ માટે બોલાવાયા હોવાનું ગાણું ગવાઈ રહ્યું હતું.

Related posts

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment