January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડના પ્રા. ડૉ. આશા ગોહિલ સામાજિક સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે. ગૌદાન, પર્યાવરણ સંવર્ધન, ફ્રીમેડિકલ કેમ્‍પ, સદભાવના પાત્ર, પુસ્‍તક પરબ, પુસ્‍તક પરિચય જેવાં વિવિધતા સભર કાર્યક્રમથી તેઓ સમાજમાં સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે.
મોટાપોંઢા કોલેજમાં પ્રાધ્‍યાપક તરીકે સેવા બજાવતાં આશા ગોહિલના આ માનવતાવાદી કાર્યોને રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પણ બિરદાવ્‍યા છે. સામાજિક ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો થકી નગરજનો તથા છેવાડાના માનવીને મદદરૂપ થવાની એક ભાવના સાથે નક્કર દિશામાં સેવાના કાર્યો તેઓ કરી રહ્યા છે. એમના પુસ્‍તક પરબમાં અત્‍યાર સુધી 31 કાર્યક્રમો થકી લોકોને વાંચવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે ‘‘વાંચે ગુજરાત અભિયાન” અંતર્ગત કાર્યક્રમો યોજી લોકોને પુસ્‍તકો વાંચવા પ્રેરિત કરતા હતા. વલસાડની પુસ્‍તક પરબ વર્તમાન સમયમાં જ્‍યારે લોકોને વાંચન તરફ ઓછો રસ છે તે સમયે વલસાડમાં દર મહિનાના પહેલા રવિવારે બે જાહેર સ્‍થળોએ પુસ્‍તક પર આયોજિત કરી લોકોના વાંચન રસને પોષી રહ્યા છે. પ્રા.ડૉ. આશા ગોહિલ, હાર્દિકભાઈ પટેલ (એડવોકેટ નોટરી) તથા એમની સમગ્ર ટીમ જેમાં દેવરાજ કરડાણી, જયંતીભાઈ મિષાી, દીપ ચૌહાણ, અર્ચના ચૌહાણ, સૌરભ પટેલ, સુનિતા ઢીંમર, હંસા પટેલ, વિલ્‍સન મેકવાન, પ્રિયાંક પટેલ, દિલીપદેસાઈ, રાધિકા જેવા પ્રતિબદ્ધ માણસોની મદદથી સારી કામગીરી થઈ રહી છે. ગુજરાત સરકારે આ વિશિષ્ટ કામગીરીની નોંધ લઈ ડૉ.આશા ગોહિલ તથા તેમની સમગ્ર ટીમને બિરદાવ્‍યા છે. આ ઉપરાંત એમણે પોતાના દીકરાની 25મી વર્ષગાંઠ નિમિત્તે 9 ગીર ગાય ગૌદાન કાર્યક્રમ આયોજિત કરી મહિલાઓને આત્‍મનિર્ભર કરવા માટે જે પ્રયત્‍ન કર્યા છે એની પણ ગુજરાત સરકારે વિશિષ્ટ નોંધ લઈ આ કાર્યને પણ બિરદાવ્‍યું છે. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ (ગુજરાત રાજ્‍ય) દ્વારા આશા ગોહિલને ગૌદાન તથા પુસ્‍તક પરબ વલસાડની સમગ્ર ટીમને તેમના પ્રશંસનીય કાર્ય માટે બિરદાવવામાં આવ્‍યા છે.

Related posts

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

Leave a Comment