હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: જનસેવા હોસ્પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા મળશે. શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલમાં રૂા.5.75 કરોડને કેથલેબ વિભાગ હૃદય રોગ સેવાનો શનિવારે તા.10-8-2024 થી પ્રારંભ થનાર છે.
વાપી જનસેવા હોસ્પિટલમાંરૂા.5.75 કરોડને ખર્ચે તૈયાર થયેલ કેથલેબ હૃદયરોગ સેવાનું ઉદ્દઘાટન શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હુબર ગ્રુપ એશિયા પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર સુરેશ કાલરા ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટ માટે હુબર ગ્રુપ તરફથી 3 કરોડ અને શ્રીમતી નીલાબેન કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા, મુંબઈ)ની પુણ્ય સ્મૃતિમાં પારસપમ્પ અને ક્રિપા ઈલેક્ટ્રીકલ તરફથી દાનનો સહયોગ મળ્યો છે.