June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂત હસમુખભાઈ પટેલ હાલ વર્ષે રૂ. ૩ લાખની આવક મેળવી રહ્યા છે

પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટયો અને આવક પણ વધવા લાગી હોવાનું ખેડૂતે જણાવ્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવતા ખેડૂત હસમુખભાઇ મોહનભાઇ પટેલના મણીબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને પ્રાકૃતિક ખેતી આધારિત જંગલ મોડલ ફાર્મની વલસાડ જિલ્લાના પ્રોબેશનરી IAS પ્રસન્નજીત કૌરે મુલાકાત લીધી હતી.
ખેડૂત હસમુખભાઈએ IAS તાલીમાર્થી પ્રસન્નજીત કૌરને જણાવ્યું કે, પહેલા તેઓ રાસાયણિક ખેતી કરતાં હતા જેમાં તેમને નજીવો નફો થતો હતો. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા અને વડતાલ ખાતે ડિસેમ્બર ૨૦૧૯માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં થોડી તકલીફ પડી હતી પરંતુ ત્યારબાદ સતત આ ખેતી કરવાથી ફાયદો થવા લાગ્યો અને ખર્ચ પણ ઘટી ગયો હતો.
વધુમાં હસમુખભાઈએ IAS તાલીમાર્થી પ્રસંજીત કૌરને પોતાની ગાયો બતાવી જીવામૃત અને બીજામૃત જાતે જ બનાવતા હોવાની પ્રોસેસ સમજાવી હતી. બાદમાં જંગલ મોડેલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકના સંવર્ધન વિશે માહિતી મેળવી હતી. ખેડૂત હસમુખભાઈએ પ્રાકૃતિક ખેતીમાંથી વાર્ષિક આવક ૩,૦૦,૦૦૦ કરતાં વધુ આવક થતી હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ, માર્ગદર્શન અને સહાય માટે રાજ્ય સરકારશ્રીનો આભાર માન્યો હતો.
આ મુલાકાત વેળા જિલ્લાનાં આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર ડી.એન.પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર વિમલભાઈ પટેલ અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાનાં મદદનીશ ખેતી નિયામક જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

Leave a Comment