April 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
સેલવાસની સ્‍કાય હાઈટ્‍સ કોઓપરેટીવ સર્વિસ સોસાયટી લીમીટેડના સ્‍થાનિક રહીશો દ્વારા લિકર વાઈનશોપને બંધ કરવા માટે દાનહ કલેકટર શ્રી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્‍યા અનુસાર સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી જે એકદંત સ્‍કવેર સામે રિંગરોડની બાજુમા આવેલ છે જ્‍યાં લિકર વાઇનશોપની દુકાન ખુલી છે.
આ પહેલા 23 ઓગસ્‍ટના રોજ આ જ વિષય પર આવેદન પત્ર આપવામા આવ્‍યું હતું. જેમા આશ્વાશન આપવામા આવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં આ દુકાન નહિ ખુલશે, પરંતુ ફરી આ દુકાન ખુલી ગઈ છે. જે જિનલભાઈ નામના વ્‍યક્‍તિચલાવી રહ્યા છે. અમારી બાજુમા રાજેશ્રી ટાવર અને સામે એકદંત સ્‍કવેર છે જે રેસીડેન્‍શીયલ વિસ્‍તાર છે, જ્‍યાં એક મંદિર પણ સ્‍થિત છે.
દુકાનની પાછળ જ મંદિર છે અમારી આપને વિનંતી છે કે આ દુકાન હંમેશા માટે બંધ કરાવવામા આવે,અહી દરેક પરિવારવાળા રહે છે.આ વાઇનશોપનો બાળકો પર બુરી અસર થશે. એમનું ભવિષ્‍ય ખરાબ થઇ શકે એમ છે. જેથી સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે આ દુકાન બંધ કરવામાં આવે.
આરડીસીએ પણ સોસાયટીના લોકોને બાંહેધરી આપી કે આ વાઇનશોપને ફક્‍ત બીજી જગ્‍યા પર સીફ્‌ટ કરવા માટે જણાવેલ હતું. સોસાયટીના લોકોએ કલેકટરશ્રી, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ અધિક્ષકશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment