October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ સ્‍થિત થાલામાં બગલાદેવ સર્કલ પાસેથી ખેરગામ તરફ જતો રાજ્‍યધોરી માર્ગ પર પણ પસાર થાય છે. અને આ સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિક પણ સર્જતો હોય છે. તેવામાં હાલે ચીખલીના એક જવેલર્સના દુકાનદારે માર્ગની વચ્‍ચેના ડિવાઈડર પર સર્કલની બન્ને બાજુ લોખંડની ચેનલથી ધણી ઊંચાઈવાળું સ્‍ટ્રક્‍ચર બનાવી પોતાની દુકાનની જાહેરાતના મસમોટા હોર્ડિંગ્‍સ લગાવી દીધા છે. માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના સર્કલ બન્નેબાજુના અને ચીખલી કોલેજ સર્કલથી ચીખલી હાઇવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ સુધીમાં લાઈટ પોલના થાંભલા ઉપર હોર્ડિંગ્‍સની હારમાળા હતી. અને હાલે ચોમાસાની પણ સિઝન છે. તેવામાં તેજ ગતિથી પવમ ફૂંકાઈ અને આ લોખંડની ચેનલ, હોર્ડિંગ્‍સના કારણે કોઈ જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
ઉપરોક્‍ત હકીકત અંગેના અખબારી અહેવાલ બાદ સફાળા જાગેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ યુધ્‍ધના ધોરણે રાજ્‍ય ધોરી માર્ગ વચ્‍ચેના ડિવાઈડર ઉપરના તમામ હોર્ડિંગ્‍સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ હોર્ડિંગ્‍સ જાહેર માર્ગ ઉપર લાગેલા હોવા છતાં સ્‍થાનિક માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોય તેમ જાહેર હિતને નેવે મૂકી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ અખબારી અહેવાલ બાદ અધિકારીઓએ સક્રિયતા દાખવતા લોકોને રાહત થવા પામી છે.

જાહેર માર્ગ પર બેનરો નહીં લગાવી શકાય
માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર મનીષભાઈના જણાવ્‍યાનુસાર થાલામાં રાજ્‍ય ધોરી માર્ગ સહિત જાહેર માર્ગ પરના ડિવાઈડર પર હોર્ડિંગ્‍સ દૂર કરવા બાબતે અમે સૂચના આપી છે. અને જાહેર માર્ગ ઉપર આવી રીતે કોઈ હોર્ડિંગ્‍સ કે બેનરો લગાવી શકાતા નથી.

Related posts

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

Leave a Comment