October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલ કાર્યાલય ગુજરાત દાદરા નગર હવેલીના તત્‍વાધાનમા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ દ્વારા ગ્રાહક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે બેંકિંગ લોકપાલ શ્રીમતી એન. સારા રાજેન્‍દ્ર કુમાર, અંચલ પ્રમુખ શ્રી રાજેશ કુમાર સિંહની અધ્‍યક્ષતામાં અને શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનુંઆયોજન ખાનવેલ મરાઠી હાઈસ્‍કૂલમાં કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય ગ્રાહકોમા આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી સાથે સુરક્ષિત બેંકિંગ વિષય અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમા ઉપસ્‍થિત ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંકની એકીકૃત લોકપાલ યોજના 2021 અંગે જાણકારી આપવામાં આવી હતી અને વિભિન્ન આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી અંગે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ, ઓનલાઈન બેંકિંગ અંગે જાણકારી આપી ગ્રાહક ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને જો ફ્રોડનો શિકાર બને તો શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે ખાનવેલ એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ, નાબાર્ડ ડીડીએમ શ્રી ગૌરવ કુમાર, એલડીએમ શ્રી સુનિલ માલી, શાળાના આચાર્ય શ્રી ભિવા સુરુમ સહિત 300થી વધુ ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બરોડા આરસેટી મેનેજર શ્રી કૃષ્‍ણ કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્‍યું. હતું.

Related posts

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

Leave a Comment