April 23, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલ કાર્યાલય ગુજરાત દાદરા નગર હવેલીના તત્‍વાધાનમા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ દ્વારા ગ્રાહક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે બેંકિંગ લોકપાલ શ્રીમતી એન. સારા રાજેન્‍દ્ર કુમાર, અંચલ પ્રમુખ શ્રી રાજેશ કુમાર સિંહની અધ્‍યક્ષતામાં અને શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનુંઆયોજન ખાનવેલ મરાઠી હાઈસ્‍કૂલમાં કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય ગ્રાહકોમા આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી સાથે સુરક્ષિત બેંકિંગ વિષય અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમા ઉપસ્‍થિત ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંકની એકીકૃત લોકપાલ યોજના 2021 અંગે જાણકારી આપવામાં આવી હતી અને વિભિન્ન આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી અંગે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ, ઓનલાઈન બેંકિંગ અંગે જાણકારી આપી ગ્રાહક ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને જો ફ્રોડનો શિકાર બને તો શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે ખાનવેલ એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ, નાબાર્ડ ડીડીએમ શ્રી ગૌરવ કુમાર, એલડીએમ શ્રી સુનિલ માલી, શાળાના આચાર્ય શ્રી ભિવા સુરુમ સહિત 300થી વધુ ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બરોડા આરસેટી મેનેજર શ્રી કૃષ્‍ણ કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્‍યું. હતું.

Related posts

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

Leave a Comment